મોરબી : મોરબીની વી.સી. હાઈસ્કુલ ખાતે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિતે મોરબીના યુવા વકીલના જુના ચલણી સિક્કા, નોટ્સ, ટપાલ ટિકિટ તથા ઔટોગ્રાફ સંગ્રહના એક દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી ન્યુમીસમેટીક ક્લબ દ્વારા આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે મોરબીની વી.સી. ટેક્નિકલ હાઈસ્કુલ ખાતે પ્રથમ માળે આવેલ લોક વિજ્ઞાન કેન્દ્રમાં આગામી તા. 18 મે ને બુધવારના રોજ સવારે 11 થી બપોરે 04 વાગ્યા સુધી મોરબીના યુવા વકીલ મિતેષ દવે અને દર્શન દવેના જુના ચલણી સિક્કા, નોટ્સ, ટપાલ ટિકિટ તથા ઔટોગ્રાફ સંગ્રહના એક દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ પ્રદર્શનને નિહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મૂળ મોરબી તાલુકા રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ તારીખ ૧૯-૦૮-૨૦૨૫ ને મંગળવારના રોજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયેલ છે.
તેમના આત્મશ્રેયઅર્થે તારીખ ૨૧-૦૮-૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે ૦૩ થી ૦૬ વાગ્યે રાજપર પટેલ સમાજ વાડી ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવેલ છે.
...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલીકાના પૂર્વ ચેરમેન, જલારામ સેવા મંડળના ઉપપ્રમુખ, લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબીના ઉપપ્રમુખ, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબીના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી તથા મોરબી જલારામ વેવિશાળ માહિતી...