મોરબીમાં ખાનગી એન્જિનિયરો દ્વારા આજ રોજ કલેકટરને આવેદન આપવામાં આવ્યુ અને સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા પ્રોફેશનલ એન્જિનિયર્સ બિલનો વિરોધ કરવામાં આવ્યો
સિવિલ એન્જીનીયરોના કહેવા મુજબ આ કાયદામાં પ્રોફેશનલ એંજીનિયર્સની નોંધણી અને એક્ઝામની જોગવાઈ છે. તેમાં નોંધણી અને એક્ઝામ આંટીધુટીવળી હોવાથી ખાનગી સેક્ટરમાં કામ કરતા સિવિલ એન્જીનીયરોનું હિત જોખમશે. આથી સિવિલ એન્જીનીયરોએ કલેકટરને આજે આવેદનપત્ર પાઠવીને પ્રોફેશનલ એંજીનિયર્સના હિતમાં જ સરકાર નિર્ણય લે તેવી માંગ કરી છે.
મોરબી સિવિલ એન્જિનિયર એસોસિએશનના નેજા હેઠળ આજે ખાનગી સેક્ટરના સિવિલ એન્જિનિયરોએ કલેકટર કચેરી ખાતે જઈને સરકારને સંબોધી કલેકટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર પૂરા દેશના એન્જીનિયર્સ માટે પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ લાવી રહી છે. જે મુજબ ગુજરાત કાઉન્સીલ ઓફ પ્રોફેશનલ સિવિલ એન્જીનિયર્સની કચેરી દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રોફેશનલ પ્રેક્ટિસ કરનારા સિવિલ એન્જિનિયરને રેજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. એ માટે ફરજિયાત એક્ઝામ દેવી પડે છે. જેમાં ખાનગી સેક્ટરમાં કામ કરતા એન્જિનિયરની નોંધણી માટે એક્ઝામ ફરજિયાત આપવી અને પછી દર બે વર્ષે આ એક્ઝામ લેવી તેમજ એક્ઝામ માટે દર બે વર્ષે રૂ.20 થી 25 હજારની ફી ભરવી એવી જોગવાઈ છે. એની સામે ખાનગી સેક્ટરના એન્જિનિયરનું કહેવું એમ છે કે, તેઓ જ્યાં પણ નોકરી કરે છે તેનું લાયસન્સ અને જે તે સાલ તેમણે લીધેલી ડીગ્રી એ જ મોટો પુરાવો છે. ત્યારે સરકારના આવા ગતકડાની હવે શરૂ જરૂર છે ?
વધુમાં સિવિલ એન્જીનીયરોએ જણાવ્યું હતું કે, જે તે કોર્પોરેશનમાં નોકરી કરે છે. એ જ મોટું પ્રુફ છે.આમ પણ સિવિલ એન્જિનિયરને સરકારમાં ક્યાં નોકરી મળે છે.આથી સિવિલ એન્જિનિયરો બેકાર છે. હવે માંડ માંડ ખાનગીમાં નોકલી મળી છે. ત્યારે આ આંટીધુટીવાળી જોગવાઈના કાયદાનો અમલ થાય તો સિવિલ એન્જિનિયર રોજીરોટી વગરના થઈ જશે. માટે આવી નોંધણી અને ફરજિયાત એક્ઝામ વાળા બીલને રદ કરવાની માંગ કરી છે. અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી છે.
મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળ મોરબી, માળીયા ટંકારા,વાંકાનેર અને હળવદ વગેરે પાંચ તાલુકાની 585 શાળાઓમાં 3400 જેટલા શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે, નેવું હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે સતત કાર્યરત, સતત ચિંતન, મનન અને મંથન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા દ્વારા કરવામાં આવે...
વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં વૃદ્ધ ખેડૂત સાથે એક શખ્સે પોતાના UPI નો ઉપયોગ કરી વૃદ્ધ સાથે ઓનલાઇન ફ્રોડ કરી યુવકના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 77728 પડાવ્યા હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં પલાસડીના માર્ગે રહેતા અને ખેતી કરતા હૈદરઅલી આહમદભાઈ...