મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સોસાયટી પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનનું બાઇક કોઈ કારણોસર રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને નીચે પટકાયેલા યુવાનનું માથું ફૂટપાથ સાથે ભટકાયું હતું અને તેને માથામાં ગંભીર ઈજા થવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતકના ભાઇની ફરિયાદ લઈને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના વતની અને હાલમાં સીરામીક સિટીમાં એફ-1 બ્લોક નંબર 102 માં રહેતો મોહીતકુમાર નંદકિશોરભાઇ શ્રીવાસ ગત તા.8ની મોડીરાત્રે મોરબી શહેરમાં મહારાણ પ્રતાપ સોસાયટી સામે સર્વીસ રોડ ઉપર પોતાનું બજાજ ડીસ્કવર મોટર સાયકલ લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા યુવાન ઢસડાઈ રોડની ફૂટપાથ સાથે અથડાયો હતો. અકસ્માતમાં યુવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.
બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ રોહિતભાઈ નંદકિશોર શ્રીવાસ (25) રહે. સિરામિક સિટી વાળાની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ખાતે આજે ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સુમિતકુમાર તથા પંકજકુમાર સર અને અન્ય જીએસટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેક્સપેયર્સ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ...
માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં ગાંડવી કેમીકલ કારખાના પાસે કલપતરુ કપંની દ્વારા ગ્રીડ ૭૬૫ કેવી લાકડીયા અમદાવાદ વીજલાઇનમા નાખવામાં આવેલ જેમાં ૪૫૦૦ મીટર એલ્યુમિનિયમ વાયર જેની કિંમત રૂપિયા ૧૩,૫૦,૦૦૦ની અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી અન્ય ચીજવસ્તુઓની નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની...