મોરબી : મોરબી ખાતે સમસ્ત પાટીદાર સમાજ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા તરીકે સતશ્રી (સંસ્કૃતાચાર્ય) બીરાજીને કથાનું રસપાન કરાવશે.
ટંકારાના લજાઈ ગામ નજીક નિર્માણાધીન માનવ મંદિરના લાભાર્થે સમસ્ત પાટીદાર સમાજ મોરબી અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું તા. 21 મે થી 31 મે સુધી રામેશ્વર ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાનો સમય રાત્રે 8:30 થી 11:30 છે. આ સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહ, રામ જન્મોત્સવ, શ્રવણ યાત્રા, સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, શબરી પ્રસંગ, રામેશ્વર પૂજન અને રામ રાજ્યભિષેક સહિતના પ્રસંગોની ભાવભેર ઉજવણી કરવામાં આવશે.
સમાજના પુત્ર વિહોણા, આર્થિક નબળા, નિરાધાર-અશક્ત વૃદ્ધ વડીલો માટે ટંકારા તાલુકાના લજાઈ ગામે, ભીમનાથ મહાદેવ મંદિર સામે અદ્યતન સુવિધાયુક્ત “માનવ મંદિર” (અનાથાશ્રમ) નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આશરે રૂ.12 કરોડના આ માનવ મંદિર પ્રોજેક્ટમાં હાલ રૂ.10 કરોડનું કામ પૂર્ણ થઈ ગયું છે.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...