ભીમનાથ મહાદેવ મંદિર લજાઈ સામે દરિદ્ર નારાયણ માટે, જરૂરિયાતમંદો માટે જેમને દિકરા નથી કે દિક્તિઓ જ છે અને સાસરે છે એવા વડીલ વૃધ્ધો માટે 100 રૂમો ધરાવતું ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ ધરાવતું 32 વિઘા જમીનમાં માનવ મંદિર નિર્માણ થઈ ચૂક્યું છે,આ માનવ મંદિરના લાભાર્થે તેમજ માનવ મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર દાતાઓના વિશિષ્ટ સન્માન અર્થે સંસ્કૃતાચાર્ય સતશ્રીની કથાનું આયોજન આગામી 21 મી મેં થી 31 મી મેં 2022 સુધી સતત અગિયાર દિવસ સુધી સૌથી લાંબી કથાનું રામેશ્વર ફાર્મ રવાપર ઘુંનડા રોડ પર ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
જેની તૈયારીના ભાગ રૂપે કંકોત્રી વિતરણથી માંડી મહાનુભાવોને આમંત્રણ આપવા કંકોત્રીઓ પહોંચાડવી,દાતાઓને અલગ અલગ દિવસ ફાળવી સન્માન માટે બોલાવવા,રાજકીય અગ્રણીઓ,અધિકારીઓ, પદાધિકારીઓને મળી વ્યક્તિગત આમંત્રણ પાઠવવા,એલ.ઇ.ડી સ્ક્રીન,સાઉન્ડ,મંડપ વ્યવસ્થા, સ્ટેજ વ્યવસથા વગેરે અનેકવિધ વ્યવસ્થાઓની સાથે કથા સ્થળ અને પાર્કિંગ સ્થળની સાફ સફાઈ પોપટભાઈ કગથરા પ્રમુખ, ગોપાલભાઈ ચારોલા ઉપ પ્રમુખ પી.એલ.ગોઠી મંત્રી,કેશુભાઈ સરડવા,મહિપતભાઈ શિરવી, અમરશીભાઈ અમૃતિયા, અંબારામભાઈ બોપલીયા, પ્રભુભાઈ ભાળજા,રમેશભાઈ સાદરિયા, શાંતિલાલ સુરાણી, અમુભાઈ સોરીયા,ઠાકરશીભાઈ ક્લોલા, લલિતભાઈ શિરવી, પ્રભુભાઈ બારૈયા,ચંદુભાઈ કુંડારિયા,રતિભાઈ સાંણદીયાં હરજીવનભાઈ બાવરવા, ભાઈલાલભાઈ ફેફર કેશુભાઈ દેત્રોજા,બાલુભાઈ સુવારીયા બાલુભાઈ મેરજા વગેરે ઉમિયા માનવ સેવા ટ્રષ્ટના ટ્રષ્ટીઓ કાર્યકર્તાઓ દિવસ રાત જાત મહેનત કરી આખરી તૈયારીઓને ઓપ આપી રહયા છે
હળવદના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ-અલગ જમીનનું રેવેન્યુ રેકર્ડના બનાવટી હુકમમાં સિક્કા/સીલ મારવા માટે આપનાર ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં જમીન કૌભાંડનો ગુન્હો દાખલ થયેલ હોય જેમા જેમાં હળવદ મામલતદાર દ્વારા સરકાર તરફે અલગ અલગ કુલ-૯ આરોપીઓ વિરુદ્ધ...
મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સ.નં.૯૭ ની જમીન એ.૫-૧૨ગુ.મા રહેણાંક તથા વાણીજ્ય હેતુ માટે બીનખેતી થયેલ હોય જેમા શરતભંગ થતા મોરબી જીલ્લા કલેકટર દ્વારા શરતભંગ કરનાર દિનેશભાઇ પટેલને ૯,૩૮,૦૦૮ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા કલેકટર દ્વારા દિનેશભાઇ ગંગારામભાઈ પટેલ રહે. મહેન્દ્રનગર તા. મોરબીવાળા વિરુદ્ધ શરતભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી...
શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનું ત્રીજુ વાર્ષિક સ્નેહમિલન "ઉમા હોલ રવાપર" ખાતે યોજવામાં આવેલ હતુ. જેમાં ૭૫ વર્ષ પૂર્ણ કરનાર વરિષ્ઠ સભ્યોનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું. નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમ્યાન જેમના જન્મ દિવસ આવેલ તેવા સભ્યોને ગીફ્ટ આપી શુભેચ્છા પાઠવવામાં માં આવી.
આ સ્નેહમિલન અંતર્ગત...