તાજેતરમાં મોરબી ની એલ.ઈ.કોલેજ ખાતે ડીસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથોરીટી મોરબી દ્વારા પેરા લિગલ વોલેન્ટીયર્સ માટે ત્રિદીવસીય ટ્રેનિંગ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ.
જે અંતર્ગત મોરબી શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજ ના લો ડીપાર્ટમેન્ટ ના એડવોકેટ વિશાલભાઈ જોશી દ્વારા “મિલ્કત હસ્તાંતર ના કાયદા” વિષય પર માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ. તે ઉપરાંત તાલીમાર્થીઓ ને વકીલાત ના વ્યવસાય મા શરૂઆત ના સમય મા પડતી મુશ્કેલીઓ ને કઈ રીતે ઉકેલવી તેમજ વકીલાત ના વ્યવસાયના નૈતિક મુલ્યો વિશે તલસ્પર્શી માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ. આ તકે મોરબી ડીસ્ટ્રીક્ટ કોર્ટ ના DLSA સેક્રેટરી રાજેશભાઈ પંડ્યા, મોરબી ડીસ્ટ્રીક્ટ કોર્ટ ના સ્ટાફ મિત્રો, NGO માળીયા ના હોદેદારો તથા પેરા લિગલ વોલેન્ટીયર્સ સહીત ના બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...
અત્યાર સુધીના ૪૬ કેમ્પ માં કુલ ૧૩૩૪૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ -રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ,...