શ્રી મોરબી માળિયા તાલુકા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ મોરબી આયોજિત
ચોવીસમો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો
અખાત્રીજ પર્વ નિમિતે વણજોયું મુર્હુત કહેવાય છે આ દિવસે કરાતાં કોઈ પણ માંગલિક કાર્યો યોગ ગ્રહ નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી નથી આથીજ આ દિવસે સૌથી વધું લગ્નોત્સવ નાં આયોજનો થાય છે ત્યારે શ્રી માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ સમૂહ લગ્નોત્સવ મોરબીના જોધપર ગામ ખાતે આવેલ કડવા પાટીદાર વિધાર્થી ભુવન ખાતે યોજાયું હતું.આજે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમૂહ લગ્નોત્સવ સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું,જેમાં રક્તદાતાઓએ રક્તદાન પણ કર્યું હતું.આ લગ્નોત્સવમાં નવ યુગલોને આશીર્વાદ આપવા બગથળા ખાતે આવેલ નકલંક ધામના મહંત દામજી ભગત,મંત્રી બ્રીજેસ મેરજા,વેલજીભાઈ બોસ, વલમજીભાઇ પટેલ, બેચરભાઈ હોથી સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા
સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્નોત્સવ સમીતિના ડો મનસુખભાઈકૈલા,ઉપપ્રમુખ મણીલાલ સરડવા,જયંતિલાલ પડસુમ્બિયા,મંત્રી જયંતિલાલ વિડજા,સહમંત્રી કમલેશભાઈ કૈલા ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા, વિનોદભાઈ કૈલા ઉપરાંત મોરબી માળિયા તાલુકાના ગામમાં રહેતા યુવાનો અને સ્વયં સેવકોએ જહેમત ઉઠાવી હતી
મોરબી જીલ્લાના બે ગુન્હા તથા પાટણ જીલ્લાના સમી પોલીસ સ્ટેશનનો એક ગુન્હો મળી કુલ ત્રણ પ્રોહિબીશનના ગુન્હામાં નાશતા ફરતા વોન્ટેડ આરોપીને મોરબી રવિરાજ ચોકડી પાસેથી મોરબી પેરોલ-ફર્લો સ્કોડ/એલ.સી.બી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ-ફર્લો સ્કોડ તથા એલ.સી.બી. ટીમને સંયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તથા પાટણના...
મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા સારૂ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવા આવેલ જેથી મોરબી જીલ્લામાં તા.૧૪ મેં થી તા.૧૬ મેં સુધી "હાઇવે ઉપર રોંગ સાઇડ ચાલતા ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા વાહનમાં માલ-|સામાન ભરેલ...
ભારતનાં પાકિસ્તાન સામે આતંકવાદનાં વિરોધમાં ભારતીય સેનાની ત્રણે પાંખના સૈનિકો દ્વારા અપાયેલ મુંહ તોડ જવાબ " ઓપરેશન સિંદુર" નાં શૌર્યતા સભર સાહસનેં બિરદાવવા ભારતભરમાં " તિરંગા યાત્રા" દ્વારા લોકો પણ સૈનિકોમાં ઉત્સાહ વધારી રહ્યાં છે.
સાહસ, શૌર્ય અને પરાક્રમનાં આ ગુણો બાળકોમાં પણ ઉતરે, દેશ પ્રેમમાં વધારો થાય એ હેતુસર...