એક તરફ ઉનાળા નો આકરો મીજાજ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સરકાર મેડિકલ કોલેજ રદ્દ થતાં સામાજિક સંસ્થાઓ અને વિરોધ પક્ષો એ પણ સરકાર સામે આકરાં મિજાજ દેખાડતાં રાજકારણ ગરમાયું છે
2020 માં સરકારી મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવેલ જેનો વિધાનસભાની પેટા ચૂંટણી માં ભરપૂર લાભ ઉઠાવી વાહવાહી લુંટવામાં આવેલ જોકે મોરબી જિલ્લાને ફાળવવામાં આવેલ સરકારી ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ છેલ્લી ઘડીએ તાપી જિલ્લાને ફાળવી દેવાઈ હતી. જયારે મોરબીની ખાનગી સંસ્થાને સાથે રાખી શરુ કરવાનો નિર્ણય લેતા મોરબી જીલ્લામાં બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજની જાહેરાત કરવામાં આવતા મોરબીવાસીઓ સાથે સરકાર દ્વારા છેતરપીડી કરવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને સામાન્ય લોકોથી લઇ રાજકીય પક્ષોમાં નારાજગી જોવા મળી રહી છે. અને તેનો વિરોધ ઉઠવાની શરૂઆત થઇ ચુકી છે.
તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ બહાર ધરણા અને દેખાવ કરવામાં આવ્યા હતા હવે આ વિરોધમાં કોંગ્રેસ પણ જોડાયું છે. મોરબીના સરદાર બાગ સામે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સામે ધરણા શરુ કરવામાં આવ્યા છે સાથે સાથે મોરબીને થયેલા અન્યાયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા મોરબીને જ સરકારી મેડીકલ કોલેજ જ મળવી જોઈએ તેવી માગણી કરવામાં આવી રહી છે અને તેના માટે આગામી 6 દિવસ સુધી ધરણા ચાલશે. પ્રથમ દિવસે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, ધારાસભ્ય મોહમદ પીરજાદા,મનોજ પનારા આ ધરણામાં મોરબી જિલ્લાની 4 નગરપાલિકા તેમજ 5 તાલુકા પંચાયત વિસ્તારમાં આવતા કોંગ્રેસના કાર્યકરો એક પછી એક એમ જોડાશે અને સરકારના આ નિર્ણય સામે જોરદાર વિરોધ કરશે. જ્યાં સુધી સરકારી મેડીકલ કોલનહી મળે ત્યાં સુધી કોંગ્રેસ વિરોધ કરશે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...
અત્યાર સુધીના ૪૬ કેમ્પ માં કુલ ૧૩૩૪૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ -રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ,...