સરકારી કચેરીમાં સરકારી બાબુઓ ને મફતના પગારની ટેવ પડી ગઈ હોય તેવું અમુક સરકારી કર્મચારીઓને વર્તન પર થી લાગી રહ્યું છે મામલતદાર અને તલાટી વચ્ચે અરજદારો ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો
મોરબીમાં મામલતદાર કચેરીમાં તલાટી ઓફિસે જનાર દરેક અરજદારોને આજે ધરમનો ધક્કો થયો હોય તેવા ઘાટ ઘડાયા છે. જ્યાં વારસાઈ નોંધ કરાવવા આવેલા અરજદારો તમામ દસ્તાવેજો સાથે તલાટી મંત્રીની ઓફિસમાં પહોંચી ગયા હતા. ઓફિસ બહાર સવારે 10:30 વાગ્યાના સુમારે અરજદારોએ આવવાની સૂચના લખવામાં આવી હતી પરંતુ તલાટીની ઓફિસની બહાર તાળું વાસેલું હતું. એટલું જ નહીં કલાક વિતવા છતાં પણ ખુદ તલાટી જ આવ્યા ન હતા ત્યારે અરજદારોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેર, માધાપર અને વજેપરમાં આવેલા વિસ્તારોમાં અશાંત ધારા અંગેની અરજીઓની સ્થળ ચકાસણીનું કામ ચાલુ હોય તે માટે તલાટી કચેરીમાં દાખલા વેરિફિકેશન તથા વારસાઈ આંબાની કામગીરી માટે લોકોને આનુષંગીક કામગીરી કરવા માટે તલાટીની ઓફિસમાં જવાનું હોય છે. હાલ ઓફિસની બહાર એવી નોંધ પણ લગાવવામાં આવી છે કે સવારે 10:30 થી બપોરે 02:00 કલાક વાગ્યા સુધી આ કામગીરી કરવામાં આવશે. જેને પગલે મોરબી વાસીઓ પોતાની આનુષંગીક કામગીરી પૂર્ણ કરવા માટે કચેરીએ પહોંચી ગયા હતા પરંતુ ઓફિસની બહાર તો તાળું મારેલું હતું. ખુદ તલાટી ત્યાં હજાર ન હતા. એટલું જ નહીં કોઈ અધિકારી પણ આ બાબતે ત્યાં જવાબ દેવા માટે તૈયાર ન હતા.
આ બાબતે મોરબી સિટી મામલતદાર સાંચલાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે આ કામગીરી જે અધિકારીએ કરવાની હતી તેઓ હાલ રજા પર છે. જેથી તેમના સ્થાને અન્ય કર્મચારીને આ કામગીરી સોંપવામાં આવી છે. એ કર્મચારી સ્થળ પર મોડો પહોંચ્યું હોવાનું ધ્યાને આવ્યું છે જેથી સુચના આપવામાં આવી છે અને અરજદારોનું કામ તાત્કાલિક કરી આપવામાં આવશે તેમ ઉમેર્યું હતું
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...