હાલ મોરબી સીરામીક ઉદ્યોગ મંદીના માહોલમાં ચાલી રહ્યો છે ત્યારે આ મંદી માંથી નિકકડવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર ખાતે નાણાં મંત્રી કનુ દેસાઈ સાથે મિટિંગ યોજી હતી
સીરામીક ઉદ્યોગમાં સપ્લાય થતા નેચરલ ગેસના ભાવ ઘટે એ ખૂબ જ જરૂરી હોય તેના માટે આજે મોરબી સીરામીક ઉદ્યોગપતિઓ અને સીરામીક એસોસિએસન આગેવાનો દ્વારા આજરોજ સાંસદ મોહનભાઈ કુંડારીયાની સાથે ગાંઘીનગર જઈને પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા તેમજ નાણાપ્રઘાન કનુભાઈ દેસાઈ ને મોરબી સીરામીક એસોસીએસનના પ્રુમખ મુકેશભાઈ કુંડારીયા, ભુતપુવઁ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, કિશોર ભાલોડીયા તેમજ કમીટી મેમ્બર અનિલ સુરાણી, પરેશ ઘોડાસરા તેમજ મહેન્દ્રભાઈ ફેફર દ્વારા નેચરલ ગેસના ભાવ ઘટાડવા બાબતે રજુઆત કરી હતી પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારીયા દૃારા સીરામીક ઉદ્યોગમાં હાલ ચાલી રહેલ ભયંકર મંદી વિશે નાણાપ્રઘાન કનુભાઈ દેસાઈ ને અવગત કરતા હાલની પરિસ્થિતીને ઘ્યાનમા લઈને નાણાપ્રઘાન દ્વારા હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા ખાતરી આપી.
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા એ એવી એક શાળા છે જ્યાં વિદ્યાર્થીઓનું હોલેસ્ટિક ડેવલપમેન્ટ થાય, વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર, ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
જેમ કે બાળાઓ માટે રાણી લક્ષ્મીબાઈ સ્વ-રક્ષણની તાલીમ, એડોલેશન પ્રોગ્રામ,...
તાલુકાઓ અને નગરપાલિકાઓ માટે રૂ. ૭૦૦ લાખના ૨૫૭ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર
મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની રૂ. ૭૦૦ લાખના ૨૫૭ જેટલા વિવિધ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર...