મોરબી : પક્ષીઓ માટે આ કાળજાળ ગરમીમાં રાહત આપે તે માટે પક્ષીઓ ની ક્ષુધા અને તરસ છીપે એ ભાવનાથી શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ની પવિત્ર જગ્યામાં ૫૦૦ નંગ પાણી પીવાના કુંડા અને ૫૦૦ નંગ ચકલા ઘર નું વિતરણ કરવામાં આવ્યું
જેમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછનાં દ્વિતિય વાઈસ ગવર્નર લા.રમેશ રૂપાલા ખાસ ઉપસ્થિત રહેલ તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ ટી સી ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ, પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશ કાવર, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ, લા.હરખજીભાઇ ટી સુવારિયા, લા.એ એસ સુરાણી, લા.મહાદેવભાઈ ચિખલિયા, લા.મહાદેવભાઈ ઊંટવાડિયા, લા.મણીલાલ કાવર, લા.પ્રાણજીવન રંગપરીયા, તેમજ શતેસ્વર મહાદેવ મંદિરના પૂજારીશ્રી ઓ હાજર રહી સેવા પરમો ધર્મ અને સેવા એજ કર્તવ્ય એવા ભાવ સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો.
આ પ્રોજેક્ટ સૌજન્ય દાતા લા. હરખજીભાઇ ટી સુવારિયા ટોબરિયા હનુમાનજી ગૌશાળા ના સંચાલક હતા
મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂ બીયર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૧,૪૭,૦૪૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે...
મોરબીના વીસીપરા વિસ્તારમાં સેન્ટમેરી ફાટક પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૪૦૯૫૦ નો મુદામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી નવલખી રોડ સેન્ટમેરી ફાટક પાસે રહેતા આરોપી રોહીત મુન્નાભાઈ સરવૈયા એ...
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...