મોરબી : મોરબીના વાવડી પાટીયાથી વનાળીયા સુધીના રોડના રીપેરીંગ બાબતે થોડા દિવસો પહેલા જિલ્લા પંચાયતના અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત બાદ ગણતરીના દિવસોમાં આજે શનિવારથી રોડનું કામ શરુ કરવામાં આવ્યું છે.
વાવડીના પાટિયાથી વનાળીયા ગામ સુધીના રોડના રીપેરીંગ બાબતે ગત તા. 28 એપ્રિલના રોજ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જીલ્લા પંચાયતના અધ્યક્ષ જયંતીભાઈ પડશુંબીયાને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાને લઈને તાત્કાલિક આ રોડનું રીપેરીંગ આજે શનિવારથી શરુ કરાવવામાં આવ્યું છે ત્યારે આજે જીલ્લા પંચાયતના અધ્યક્ષ જયંતીભાઈ પડશુંબીયા, તાલુકા પંચાયતના સભ્યો પરેશભાઈ પડશુંબીયા, ભુપતભાઈ સવસેટા, ગોકળભાઈ ચીખલીયા અને વનાળીયાના સરપંચ અબુભાઈ સુમરાએ રૂબરૂ રોડની મુલાકાત લઈને કામનું નિરીક્ષણ કર્યું હતું. આ કામ તાત્કાલિક કરવા બદલ અને લોકોને રસ્તા બાબતે પડતી હાલાકીનું ઝડપી નિરાકરણ કરવા બદલ જિલ્લા પંચાયતના સદસ્યનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
અત્યાર સુધીના ૪૬ કેમ્પ માં કુલ ૧૩૩૪૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ -રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ,...
મોરબી જિલ્લામાં શિક્ષણ સિવાયના અનેક કાર્યક્રમોથી શિક્ષકો ત્રાહિમામ
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની દશા ખુબજ કફોડી છે. શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ત્યારથી એક પછી એક અનેક કાર્યક્રમોની ભરમાર ચાલુ જ છે. શરૂઆતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલાય શિક્ષકો અને આર.ઓ.તરીકેની કામગીરીના કારણે બાળકો ભણતરથી દૂર રહ્યા ચૂંટણી બાદ...
મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલ જી.ઈ.બી.ના ટીસીમા શોક લાગતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં જગદીશભાઈ બેચરભાઈ કાવરની વાડીની સામે આવેલ જી.ઈ.બી.ના ટીસીમાં કોઈ કારણોસર ઈલેકટ્રીક શોક લાગતા ૩૦ વર્ષીય અજાણ્યા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી...