અમદાવાદના નિકોલમાં શ્રી રામકથાનો સોમવારે બીજો દિવસ સંપન્ન
વિશ્વના સૌથી ઊંચા ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલમાં આયોજિત શ્રી રામકથામાં બીજો દિવસ ભાવપૂર્ણ સંપન્ન થયો. પ.પૂ. કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીની સ્વમુખેથી શ્રી રામકથાના દ્વિતિય દિવસે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનું ગુણાનુંવાદ થયો. તો વળી શાસ્ત્રીજીએ જગત જનનીમા ઉમિયાનના પ્રાગટ્યનું પણ મહત્વ સમજાવ્યું હતું. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વસતા મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ શ્રી રામકથાનું રસપાન કર્યું હતું. આ અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે શ્રી રામકથાએ ભગવાન શ્રી રામના જીવનને સમજવાનો રૂડો અવસર છે. એવમ્ આ રામકથામાં માત્ર 24 કલાકમાં 1.30 કરોડના દાનની ઉછામણી થઈ છે. શ્રી રામકથાના રૂડા અસરે 5 મા ઉમિયાના ભક્તો વિશ્વઉમિયાધામના ધર્મસ્તંભના દાતા બન્યા છે તો વળી 3 ભાગીરથી પરિવાર સંસ્થાના દાતા ટ્રસ્ટી બન્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં વિશ્વઉમિયાધામ મંદિરના કુલ 1440 ધર્મસ્તંભમાંથી 1165 ધર્મસ્તંભના દાતાઓ નોંધાઈ ચુક્યા છે. આજે મંગળવારના રોજ શ્રી રામકથામાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરાશે.
દરરોજ રાત્રે ગામના જાગૃત યુવાનો પ્રાથમિક શાળાએ એકઠા થઈને મતદારોના ફોર્મ ભરવા સહિતની કામગીરી કરશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR) હેઠળ તા. 04/11/2025 થી તા. 04/12/2025 દરમિયાન ગણતરી ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી સરકારી...
કનૈયાલાલ વિરુદ્ધ મોરબીમાં ગાંધીનગર ખેતીની કિંમતી જમીન ની છેતરપિંડી થી દસ્તાવેજ કરી લેવાની ફરિયાદ નામદાર કોર્ટ દ્વારા ફરીયાદ દાખલ કરવાનો આદેશ કરેલ હતો જે ફરિયાદ માં આજ દિન સુધી એક પણ આરોપીની ધરપકડ થઈ નહોતી
ફરિયાદી દ્વારા કનૈયાલાલ દેત્રોજા અને તેનો દીકરો વિશ્વાસ વડોદરા ખાતે આવેલ ઇન્ડિયન સુગર સ્પાઇસ હોટલ...
હાલ મિક્ષ વાતાવરણ ઋતુના સમય ગાળામાં ઘેર ઘેર માંદગી જોવા મળી રહી છે ત્યારે સમસ્ત લુહાર સમાજ સમિતિ મોરબીના ઉપક્રમે તારીખ: ૧૬-૧૧-૨૦૨૫ રવિવારના રોજ સવારે ૦૯ વાગ્યાથી ૦૧ વાગ્યા સુધી સમસ્ત લુહાર સમાજ મોરબી પંથકના લુહાર જ્ઞાતિબંધુઓ માટે નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ, આર્યુવેદિક દવા કેમ્પ, ફિજીયોથેરાપી સારવાર, તથા ફ્રી...