અમદાવાદના નિકોલમાં શ્રી રામકથાનો સોમવારે બીજો દિવસ સંપન્ન
વિશ્વના સૌથી ઊંચા ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલમાં આયોજિત શ્રી રામકથામાં બીજો દિવસ ભાવપૂર્ણ સંપન્ન થયો. પ.પૂ. કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીની સ્વમુખેથી શ્રી રામકથાના દ્વિતિય દિવસે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનું ગુણાનુંવાદ થયો. તો વળી શાસ્ત્રીજીએ જગત જનનીમા ઉમિયાનના પ્રાગટ્યનું પણ મહત્વ સમજાવ્યું હતું. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વસતા મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ શ્રી રામકથાનું રસપાન કર્યું હતું. આ અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે શ્રી રામકથાએ ભગવાન શ્રી રામના જીવનને સમજવાનો રૂડો અવસર છે. એવમ્ આ રામકથામાં માત્ર 24 કલાકમાં 1.30 કરોડના દાનની ઉછામણી થઈ છે. શ્રી રામકથાના રૂડા અસરે 5 મા ઉમિયાના ભક્તો વિશ્વઉમિયાધામના ધર્મસ્તંભના દાતા બન્યા છે તો વળી 3 ભાગીરથી પરિવાર સંસ્થાના દાતા ટ્રસ્ટી બન્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં વિશ્વઉમિયાધામ મંદિરના કુલ 1440 ધર્મસ્તંભમાંથી 1165 ધર્મસ્તંભના દાતાઓ નોંધાઈ ચુક્યા છે. આજે મંગળવારના રોજ શ્રી રામકથામાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરાશે.
ગુજરાત ગેસ કંપની દ્વારા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વૃક્ષા રોપણ
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા દરરોજ કંઈકને કંઈક વિદ્યાર્થીલક્ષી, સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતી છે, ત્યારે અત્યારે દિવસે દિવસે ઔદ્યોગિકરણ અને આધુનિકીકરણ કારણે વૃક્ષોનું છેદન દિન પ્રતિદિન વધતું જાય છે, સોસાયટીમાં ઘરની સામે ઉભેલા ઘટાદાર વૃક્ષોમાંથી પાનખરમાં ઝાડમાંથી પાંદડા ખરતા...
ટંકારા ઉગમણા નાકે મુખ્ય શ્મશાન સામે અમરાપર ટોળ પાણી માટે નિકળતી પાઈપલાઈન ટુટી હોઈ ત્યારે આ પાણી લિક થયું એ ખાડામાં ગૌ વંશ પણ પડી ને મુત્યુ થતા કોંગ્રેસના નેતા મહેશ રાજકોટિયા અને મોરબી જિલ્લા પંચાયત ના વિરોધપક્ષના નેતા ભુપત ગોધાણી તાત્કાલિક અધિકારીઓ સાથે સમસ્યા અંગે ચર્ચા કરી કોન્ટ્રાક્ટર...
મોરબીના રવાપર ગામના નિવાસી સવિતાબેન દેવજીભાઈ ચારોલાનુ ૯૫ વર્ષની વયે તા. ૧૮/૦૬/૨૦૨૫ ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
સદગત બેસણું:- તારીખ ૨૦/૦૬/ ૨૦૨૫ ને શુક્રવારના રોજ બપોરે ૦૩ થી ૦૫ કલાકે ઉમા હોલ, શિવ મંદિરની સામે, રવાપર ગામ મોરબી...