અમદાવાદના નિકોલમાં શ્રી રામકથાનો સોમવારે બીજો દિવસ સંપન્ન
વિશ્વના સૌથી ઊંચા ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલમાં આયોજિત શ્રી રામકથામાં બીજો દિવસ ભાવપૂર્ણ સંપન્ન થયો. પ.પૂ. કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીની સ્વમુખેથી શ્રી રામકથાના દ્વિતિય દિવસે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનું ગુણાનુંવાદ થયો. તો વળી શાસ્ત્રીજીએ જગત જનનીમા ઉમિયાનના પ્રાગટ્યનું પણ મહત્વ સમજાવ્યું હતું. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વસતા મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ શ્રી રામકથાનું રસપાન કર્યું હતું. આ અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે શ્રી રામકથાએ ભગવાન શ્રી રામના જીવનને સમજવાનો રૂડો અવસર છે. એવમ્ આ રામકથામાં માત્ર 24 કલાકમાં 1.30 કરોડના દાનની ઉછામણી થઈ છે. શ્રી રામકથાના રૂડા અસરે 5 મા ઉમિયાના ભક્તો વિશ્વઉમિયાધામના ધર્મસ્તંભના દાતા બન્યા છે તો વળી 3 ભાગીરથી પરિવાર સંસ્થાના દાતા ટ્રસ્ટી બન્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં વિશ્વઉમિયાધામ મંદિરના કુલ 1440 ધર્મસ્તંભમાંથી 1165 ધર્મસ્તંભના દાતાઓ નોંધાઈ ચુક્યા છે. આજે મંગળવારના રોજ શ્રી રામકથામાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરાશે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...