Wednesday, June 18, 2025

વિશ્વઉમિયાધામ આયોજિત રામકથામાં 24 કલાકમાં 1.30 કરોડના દાનની જાહેરાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અમદાવાદના નિકોલમાં શ્રી રામકથાનો સોમવારે બીજો દિવસ સંપન્ન

વિશ્વના સૌથી ઊંચા ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલમાં આયોજિત શ્રી રામકથામાં બીજો દિવસ ભાવપૂર્ણ સંપન્ન થયો. પ.પૂ. કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીની સ્વમુખેથી શ્રી રામકથાના દ્વિતિય દિવસે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનું ગુણાનુંવાદ થયો. તો વળી શાસ્ત્રીજીએ જગત જનનીમા ઉમિયાનના પ્રાગટ્યનું પણ મહત્વ સમજાવ્યું હતું. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વસતા મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ શ્રી રામકથાનું રસપાન કર્યું હતું. આ અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે શ્રી રામકથાએ ભગવાન શ્રી રામના જીવનને સમજવાનો રૂડો અવસર છે. એવમ્ આ રામકથામાં માત્ર 24 કલાકમાં 1.30 કરોડના દાનની ઉછામણી થઈ છે. શ્રી રામકથાના રૂડા અસરે 5 મા ઉમિયાના ભક્તો વિશ્વઉમિયાધામના ધર્મસ્તંભના દાતા બન્યા છે તો વળી 3 ભાગીરથી પરિવાર સંસ્થાના દાતા ટ્રસ્ટી બન્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં વિશ્વઉમિયાધામ મંદિરના કુલ 1440 ધર્મસ્તંભમાંથી 1165 ધર્મસ્તંભના દાતાઓ નોંધાઈ ચુક્યા છે. આજે મંગળવારના રોજ શ્રી રામકથામાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરાશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર