મોરબી : સમગ્ર ગુજરાતના વીસીઈ કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને ગત 11 તારીખથી હડતાળ પર છે ત્યારે આગામી 25મી તારીખ સુધીમાં વીસીઈ કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સામુહિક રાજીનામાંની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મોરબી વીસીઈ કર્મચારી મહામંડળના પ્રમુખ બીપીનભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં કામ કરતા 400 થી વધુ વીસીઈ કર્મચારીઓ સહીત રાજ્યભરના ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટરો વિવિધ માંગણીઓને પગલે આંદોલન ચલાવી રહ્યા છે છતાં તેમના પ્રશ્નોનો નિવેડો લાવવા સરકાર પ્રયત્નશીલ નથી ત્યારે આગામી તા. 25 સુધીમાં માંગણીઓ નહીં સંતોષાય તો સામુહિક રાજીનામા આપવામાં આપશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં મોરબી-માળીયા હાઇવે બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે હુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂ કિ.રૂ. ૪,૬૮,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૯,૬૮,૦૦૦/- નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, એક સફેદ કલર...
તારીખ 12 નવેમ્બરના રોજ રાત્રે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે.
ત્યારબાદ કેસ આવતા ની સાથે જ તાત્કાલ 181 ટીમ ઘટના સ્થળે પહોંચેલ 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ કોન્સ્ટેબલ ખ્યાતીબેન પાયલોટ મહેશભાઈ તે મહિલા સુધી પહોંચેલ તે સજ્જન...