સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનોએ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી
તા ૧૦/૪/૨૦૨૨ નાં રોજ ખોડલધામ કાગવડ ખાતે સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનો અને કાર્યકરતા ઓં એ કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ સાથે મુલાકાત યોજી નરેશ પટેલ ને ગુજરાત કોંગ્રેસ પાર્ટી માં જોડાવા અને આવનારી ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી નાં ચહેરા તરીકે જાહેર કરવામાં આવે એવી લાગણી સાથે ૮૦થી વધુ સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનોએ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ સાથે મુલાકાત કરી ગુજરાત નાં રાજકીય સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી
નરેશભાઇ પટેલ સાથેની આ મુલાકાત મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનીક મુછડીયા, મોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રમુખ અશ્વિન પરમાર, મોરબી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ દામજીભાઈ મકવાણા,મોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ ચેરમેન દીપકભાઈ પરમાર, પૂર્વ સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન રાજુભાઈ ચૌહાણ,રવજી ભાઈ સોલંકી, જગદીશ ભાઈ મુછડીયા, વિનુ પરમાર, ભૂપત મામાં,વિનોદ ચૌહાણ , કિશોર ઉભડિયા, સહિતના અનેક આગેવાનો એ મુલાકાત કરી હતી
સાથે સાથે નરેશભાઈ પટેલ કોંગ્રેસ માં આવે તો ગુજરાત ભરના દલિત સમાજ એમના સાથે રહેશે એવી પણ ખાતરી આપવામાં આવી. દલિત સમાજ ની આવી ભાવ ભરી અપીલ થી નરેશ ભાઈ ગદગદિત થઈ ગયા હતા અને એમને સામાજિક એકતા અને ભાઈ ચારા નો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.૪૩) નામના યુવકે પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી જતા રાજેશભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી...
મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટની સામેથી વેપારી યવકની સ્વીફ્ટ કાર એક શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર -૩૦૧મા રહેતા કરણભાઈ અનિલભાઈ બારડ (ઉ.વ.૨૬) એ આરોપી...