હળવદ શહેરના સામાજિક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ સવારે ગૌશાળામાં ગૌમાતા અને અબોલજીવો માટે નીરણ નાખવામાં આવ્યું હતું. આ સિવાય હળવદ શહેરમાં નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન રજોધરજી હાઇસ્કુલ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો 115 દર્દીઓએ લાભ લીધો હતો. જે અંતર્ગત દર્દીઓને કર્ડિયોગ્રામ, ડાયાબિટીસ તેમજ બ્લડપ્રશર જેવી તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. આ દરમિયાન માલણીયાદના નિવાસી એક દર્દી તપાસ માટે આવતા તેઓને તે સમયે હૃદયરોગનો હુમલો ચાલુ હોવાનું નિદાન થતાં તાત્કાલિક વધુ સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવેલ. આ સિવાયમાં કેમ્પમાં લાભ લીધેલ દર્દીઓમાંથી 50 કરતા વધુ દર્દીઓને આગળની સારવારનું માર્ગદર્શન આપવામાં આવેલ.
આ સિવાય નવજીવન વિકલાંગ સેવાશ્રમ ખાતે દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હ્રદય ની તપાસ ના કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારીયા, દિપકદાસજી મહારાજ, બિપીનભાઈ દવે, રણછોડભાઈ દલવાડી, રમેશભાઈ પટેલ, ડો. સી. ટી. પટેલ, મામલતદાર નાનજીભાઈ ભાટી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જીગ્નેશભાઈ કૈલા, રજનીભાઇ સંઘણી, અજયભાઇ રાવલ , ભાવેશભાઈ ઠક્કર ઉર્વશીબેન પંડ્યા,ડો. બી. ટી. માલમપરા, ડો. ભાવિનભાઈ ભટ્ટી,રાજભા રાણા, રમેશભાઈ ભગત,હીતેનભાઈ ઠક્કર, સહિત સરકારી હોસ્પિટલ ના તમામ તબીબો સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો સહિત હળવદ ના ફ્રેન્ડસ યુવા ગ્રુપ સહિત વિવિધ સામાજિક અને રાજકીય ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તપનભાઈના જન્મદિવસની આ પ્રેરણાદાયી ઉજવણીને સફળ બનાવવા માટે તપનભાઈએ તેઓના મિત્રવર્તુળ, પત્રકારમિત્રો તેમજ વિવિધ સામાજિક સંગઠનોના હોદ્દેદારો તેમજ આયુષ હોસ્પિટલ ડોકટરોની ટીમનો અને આ કેમ્પ ને સફળ બનાવનાર તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તારીખ:- ૧૦/૦૭/૨૦૨૫ ને ગુરુવારે ના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી 7-SARAKAR-7 (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે
આ ઉર્ષ મુબારક માં તારીખ:-૧૦/૦૭/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ...
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને...