હળવદ : મોરબી જીલ્લાના હળવદ તાલુકાના વિવિધ પ્રજાકીય પ્રતિનિધિઓના પ્રશ્નો અને ફરિયાદોના નિવારણ માટે પ્રભારીમંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને બુધવારે હળવદ એપીએમસી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકાના પંચાયતના પ્રતિનિધિઓ, સરપંચો તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે અધિકારીઓ સાથે વિશદ્દ ચર્ચા હાથ ધરીને અધિકારીઓને પ્રશ્નોનું તાત્કાલીક નિવારણ લાવવા પ્રભારીમંત્રી દેવાભાઇ માલમ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.
પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં સમયસર મળી રહે તે માટે આગોતરા આયોજન સાથે જિલ્લા પ્રભારીમંત્રી દેવાભાઇ માલમે સંબંધિત વિભાગોના વડાઓને ઉનાળાની સીઝનમાં નાગરિકોને પીવાના પાણીની સમસ્યાઓ ઊભી ન થાય તેમજ પાણીની વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઇ રહે તે માટે તમામ વિભાગો સંકલનમાં રહીને કામગીરી કરે તે માટે યોગ્ય સુચનો કર્યા હતા. આ સાથે જ હળવદ તાલુકા તેમજ નગરપાલિકા વિસ્તારના રોડ, રસ્તા, લાઇટ, ખેતીવાડી વીજ કનેક્શન, પાણી, પશુ દવાખાના, સિંચાઇના પાણી સહિત પ્રજાને નાના મોટા કનડતા પ્રશ્નોને લઈને પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે પ્રભારીમંત્રી દેવાભાઇ માલમે યોગ્ય સુચનો અને ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, હળવદ મતવિસ્તારના ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રી રણછોડભાઇ દલવાડી, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે ભગદેવ, જિલ્લા પોલીસ વડા (ઈ.) અતુલ બંસલ, કાર્યપાલક ઇજનેર એ.એન. ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, હળવદ પ્રાંત અધિકારી એમ.એ. ઝાલા સહિત પીજીવીસીએલ, સિંચાઇ, પાણી પુરવઠા વિભાગના સંબંધિત અધિકારીઓએ આ બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા કરી હતી.
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાલસભા, પર્યાવરણ જાગૃતિ માટે રેલી તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તેમાં પ્રથમ શાળાનાં શિક્ષક ચિકાણી રમણિકલાલ દ્વારા બાળકોને વિવિધ...
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...