હળવદ : મોરબી જીલ્લાના હળવદ તાલુકાના વિવિધ પ્રજાકીય પ્રતિનિધિઓના પ્રશ્નો અને ફરિયાદોના નિવારણ માટે પ્રભારીમંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને બુધવારે હળવદ એપીએમસી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકાના પંચાયતના પ્રતિનિધિઓ, સરપંચો તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે અધિકારીઓ સાથે વિશદ્દ ચર્ચા હાથ ધરીને અધિકારીઓને પ્રશ્નોનું તાત્કાલીક નિવારણ લાવવા પ્રભારીમંત્રી દેવાભાઇ માલમ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.
પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં સમયસર મળી રહે તે માટે આગોતરા આયોજન સાથે જિલ્લા પ્રભારીમંત્રી દેવાભાઇ માલમે સંબંધિત વિભાગોના વડાઓને ઉનાળાની સીઝનમાં નાગરિકોને પીવાના પાણીની સમસ્યાઓ ઊભી ન થાય તેમજ પાણીની વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઇ રહે તે માટે તમામ વિભાગો સંકલનમાં રહીને કામગીરી કરે તે માટે યોગ્ય સુચનો કર્યા હતા. આ સાથે જ હળવદ તાલુકા તેમજ નગરપાલિકા વિસ્તારના રોડ, રસ્તા, લાઇટ, ખેતીવાડી વીજ કનેક્શન, પાણી, પશુ દવાખાના, સિંચાઇના પાણી સહિત પ્રજાને નાના મોટા કનડતા પ્રશ્નોને લઈને પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે પ્રભારીમંત્રી દેવાભાઇ માલમે યોગ્ય સુચનો અને ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, હળવદ મતવિસ્તારના ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રી રણછોડભાઇ દલવાડી, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે ભગદેવ, જિલ્લા પોલીસ વડા (ઈ.) અતુલ બંસલ, કાર્યપાલક ઇજનેર એ.એન. ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, હળવદ પ્રાંત અધિકારી એમ.એ. ઝાલા સહિત પીજીવીસીએલ, સિંચાઇ, પાણી પુરવઠા વિભાગના સંબંધિત અધિકારીઓએ આ બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા કરી હતી.
મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં...
હળવદ તાલુકાના મયુરનગર ગામના ઝાંપા પાસે આધેડ બેઠેલ હોય ત્યારે આરોપી ત્યાં આવી આધેડને જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી પથ્થર વડે ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા અશોકભાઇ હીરાભાઈ સોલંકી (ઉ.વ.૪૫)...
રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર મીતાણા ગામે મેલડી માતાજીના મંદિર નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર ટપી સામેની સાઈડ બીજી કાર સાથે અથડાઈ અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના ભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ...