ભુદેવોની નગરી હળવદ ખાતે અક્ષય તૃતીયા ( અખાત્રીજ) ના શુભ દિને સમસ્ત બ્રહ્મસમાજ હળવદ દ્વારા ભગવાન પરશુરામ ની જન્મજયંતિ નિમિતે ભગવાન પરશુરામ ની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
હળવદ ના ભૂદેવો દ્વારા આજ સવાર થી ભગવાન પરશુરામજી ની પુજા કરવા માટે હળવદ પરશુરામ મંદિર ખાતે ભુદેવો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ભગવાન પરશુરામ ની પુજા કર્યા બાદ પરશુરામ ભગવાનનું પ્રીય શસ્ત્ર ફરસી ની પુજા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી આજ બપોરે ભગવાન પરશુરામની શોભાયાત્રા ૪:૦૦ કલાકે પરશુરામ મંદિર ખાતે થી નીકળશે અને ત્યાંથી શરણેશ્વર મહાદેવ મંદિર,દરબાર ચોક,લક્ષ્મીનારાયણ ચોક, મેઈન બજાર,થી બ્રાહ્મણની ભોજનશાળા હળવદ સુધી ભગવાન પરશુરામ નગરયાત્રા એ નીકળશે પરશુરામ ભગવાન ની શોભાયાત્રામાં દરેક ભુદેવો બ્રાહ્મણવેશ ( ધોતી કુર્તા) પહેરી ને યાત્રામાં જોડાશે ભુદેવોની આ નગરી ની ખાસીયત છે કે દરેક ભુદેવો હાલ પણ પોતાના બ્રહ્મ તેજ થી વિશ્વભર માં પ્રખ્યાત છે ત્યારે ભુદેવો ની આ પવિત્ર નગરીમાં આજરોજ ભગવાન પરશુરામ ભગવાન ની શોભાયાત્રા નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગ ને સફળ બનવવા બ્રહ્મ અગ્રણી જીગરભાઈ મહેતા,અજયભાઇ રાવલ,વિજયભાઈ જાની,ધર્મેશભાઈ જોષી,મિહિર ભાઈ રાવલ,દીપકભાઈ જોષી,અમનભાઈ દવે,જીતેન્દ્રભાઈ જાની ( હની )પ્રવીણભાઈ દેરાશ્રી,કેતનભાઈ દવે,પુલકેશભાઈ જોષી, તેમજ પરશુરામ ગ્રુપ ના દરેક સભ્યો ખુબ સુંદર મજાનું આયોજન કર્યું છે
રવી પરીખ હળવદ
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...