હળવદ શહેરના વોર્ડ નંબર-6માં પ્રમુખ સ્વામીનગરમાં આવતા પીવાના પાણીથી લોકો પરેશાન થઈ ગયા છે. કારણ કે, તેમને મળતુ પીવાનું પાણી દુર્ગંધ મારતુ અને ફીણવાળું મળે છે. જેથી ત્યાંના સ્થાનિક રહીશો રોગચાળો ફેલાયો હોવાની ફરિયાદ કરી રહ્યાં છે. જોકે આ અંગે મહિલાઓ દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે. પરંતુ નિંદ્રાધિન તંત્ર રજૂઆત ન સાંભળતું હોય તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.
મળતી માહિતી અનુસાર હળવદ શહેરના વોર્ડ નંબર-6માં આવેલા પ્રમુખ સ્વામીનગરના રહીશો પીવાના પાણીથી પરેશાન થઈ ગયા છે. કારણ કે, તેમને મળતુ પીવાનું પાણી પીવાલાયક નથી. પીવાના પાણીની લાઈનમાં આવતું પાણી ફીણવાળુ અને ગટરનું ગંદુ પાણી મળી રહ્યું છે. આ સમસ્યા એક-બે દિવસની નથી. પરંતુ છેલ્લા એક મહિનાથી આ લોકોને ફીણવાળુ અને ગટરનું પાણી પીવાની લાઈનમાં મળી રહ્યું છે. અને જેને કારણે ઘરોમાં રોગચાળો પણ ફેલાયો હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યાં છે. તો સાથે જ ગંદા પાણીને લઈને મહિલાઓ દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ નિંદ્રાધિન તંત્ર સાંભળતુ ન હોવાના મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. અને જવાબદાર તંત્રના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યાં હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાના આરોપ લગાવ્યા છે. જેથી વોર્ડ નંબર-6 પ્રમુખ સ્વામીનગરના રહીશોએ નગરપાલિકાને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. અને જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
મોરબી શહેરમાં વ્યાજખોરો ગમે તે કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે જાણે મોરબીમાં પોલીસ જ ન હોય ત્યારે મોરબીના રોહિદાસપરામા રહેતા યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય અને દર માસે વ્યાજની ચુકવણી કરતા હોય પરંતુ છેલ્લા છ-સાત માસથી વ્યાજના પૈસા ન ચૂકવી...
એન.ડી.પી.એસ/શરીર સબંધી ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા જેલ હવાલે ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
ટંકારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ તથા શરીર સબંધી ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ એન.ડી.પી.એસ તથા શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ આરોપી નિજામભાઇ ઇબ્રાહીમભાઇ...
મોરબી નીવાસી હરસિધ્ધભાઈ ગોવિંદલાલ કારીયાનુ તારીખ 13-09-2025 ને શનીવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ 15-09-2025 ને સોમવારના રોજ સાંજે 04:00 થી 05:00 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન વસંત પ્લોટ મોરબી નાગરીક બેન્કની સામે મોરબી ખાતે રાખેલ છે.
નોંધ: સસરા પક્ષની...