મોરબી: ટેટ-ટાટ પાસ ૨૬,૫૦૦ જ્ઞાન સહાયક/કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા મોરબી જીલ્લા કલેકટર લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મોરબીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા મોરબી જીલ્લા કલેકટર લેખિત રજુઆત કરી જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં શિક્ષણની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે ત્યારે ગુજરાતનું દરેક બાળક ગુણવતા યુક્ત વિશ્વસ્તરીય શિક્ષણ મેળવે તે હેતુથી અને વિદ્યાર્થીઓના ભવિષ્યના પૂર્ણ ઘડતર માટે કાયમી શિક્ષકની ભરતી ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા 26,500 જ્ઞાન સહાયક ની ભરતી કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 11 માસના કરાર આધારિત શિક્ષકોને નિમણૂક આપવામાં આવશે. જે ગુજરાતના બાળકો અને રાજ્યના ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના બિલકુલ હિતમાં નથી. જો જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જશે.
ગુજરાતના બાળકોના શિક્ષણના વિશાળ હિત અને હજારો ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના ઘરમાં કાયમી શિક્ષકની ભરતી રૂપી રોજગારીનો દીવો પ્રજવલિત કરવા માટે 26,500 જ્ઞાન સહાયક, કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એ માટે સમગ્ર ગુજરાતના ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારો દ્વારા લેખિત રજુઆત કરી વિનંતી કરવામાં આવી છે.
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને...
હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોએ હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ભરતભાઇ માવજીભાઇ મજેઠીયા (ઉ.વ.૪૨) રહે ગામ નવી જોગડ તા. હળવદદ,...
હળવદમા આસ્થા રોડ સ્પીનીંગ મીલ રોડ પર દાવલીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાના ખેતરમાં દંપતી કામ કરતા હોય ત્યારે ત્રણ શખ્સો આવી અમારી જમીનમાં કેમ કામ કરો છો અહીથી નીકળી જાવ અમોએ એન.એ. કરાવેલ છે કહી દંપતીને સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં...