આમ આદમી પાર્ટીને 117માંથી 92 વિધાનસભા બેઠકો પર જીત મળી છે. હવે પજાબમાં મળેલી બમ્પર જીતને લઈને કેજરીવાલનો પ્લાન ગુજરાત સર કરવાનો છે. નોંધનિય છે કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 2જી એપ્રિલના રોજ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા સીએમ ભગવંત માન અમદાવાદમાં રોડ શો કરશે. આ રોડ શોની શરૂઆત બપોરે 3 વાગેથી બાપુનગરના આંબેડકર હોલથી ખાતેથી થશે અને નિકોલમાં આવેલા ખોડીયાર માતાના મંદિરે રોડ શો પૂર્ણ થશે. આ રોડ શો ડાયમંડ માર્કેટ, ઠક્કરબાપાનગર અને જીવણવડી વિસ્તારમાંથી પસાર થશે. રોડ શો પૂર્ણ થયા બાદ જાહેર સભા યોજાશે જેમા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલ સંબોધન કરશે તેવી માહીતી મળી રહી છે.
આજના સ્વાર્થી અને દોડધામ ભરેલા યુગમાં જ્યાં માણસને માણસ માટે સમય નથી, ત્યાં રાજકોટનું એક દંપતી માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. રાજકોટમાં રહેતા બીપીનભાઈ ટાંક અને તેમનાં ધર્મપત્ની દક્ષાબેન ટાંક છેલ્લા ઘણા સમયથી અબોલ જીવો પ્રત્યે અનહદ પ્રેમ અને દયાભાવ રાખીને નિઃસ્વાર્થ ભાવે તેમની સેવા...
ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં તાજેતરમાં જે સૂચિત ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે, તે સામાજિક અને વહીવટી દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અત્યાર સુધી રાજ્યમાં લગ્ન નોંધણીની પ્રક્રિયા પ્રમાણમાં સરળ અને વ્યક્તિગત ગોપનીયતાને પ્રાધાન્ય આપતી હતી, પરંતુ નવા નિયમોના અમલીકરણ સાથે હવે આ પ્રક્રિયા વધુ પારદર્શક અને કડક બનવા...
તંત્રી લેખ : જિજ્ઞેશભાઈ કાલાવડિયા.
તાજેતરમાં પાટનગરમાં આયોજિત એઆઈ સમિટમાં વૈશ્વિક ટેકનોલોજી લીડર્સે આ વિષય પર ગહન ચર્ચા કરી હતી. ટૂરિંગના ફાઉન્ડર અને સીઈઓ જોનાથન સિદ્ધાર્થે આ પરિવર્તનને 'નોકરીઓના ફોર્મ શિફ્ટ' તરીકે ઓળખાવ્યું છે. તેમનું માનવું છે કે જો પરંપરાગત નોકરીની પદ્ધતિઓમાં સમયસર ફેરફાર કરવામાં નહીં આવે, તો મોટા પાયે...