ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના માલધારી લોકોને બેઠા થાડે પ્લોટ ફાળવણીની સનદનું વિતરણકાર્યક્રમ ટંકારા ITI ખાતે સવારે યોજાયેલ તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમનો પ્રારંભ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ પુંજાભાઇ માલમ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો. મહેમાનોનું શાબ્દિક સ્વાગત ટંકારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા એ કર્યું હતું. આ કાર્યક્રમમાં ટંકારા પડધરી વિસ્તારના માજી ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ , પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા, ટંકારા મામલતદાર શુક્લ ,જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઈ ચાવડા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા ,ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જીગ્નેશભાઈ કૈલા ,અરવિંદભાઈ વાંસદડિયા, મંજુલાબેન દેત્રોજા, પ્રભુભાઈ પનારા, હીરાભાઈ ટમારિયા, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, ટંકારા સરપંચ ગોરધનભાઈ ખોખાણી, માજી સરપંચ કાનાભાઈ વગેરે ઉપસ્થિત રહેલ. માલધારી સમાજના લોકોને સનદનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
કાર્યક્રમને સફળ બનાવવા ટંકારા તાલુકા વિકાસ અધિકારી એચ. ડી.જાડેજા અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ભીમાણીએ ખાસ જહેમત ઉઠાવી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય સંઘાણી ભાવેશભાઈ એ કર્યું હતું
અમદાવાદ: દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીની વચ્ચે જ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 23 મે 2026 ના રોજ આગળ વધીને અરબી સમુદ્ર, કોમોરિન પ્રદેશ, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના મોટાભાગના વિસ્તારોને આવરી ચૂક્યું છે.
આગામી 3-4 દિવસમાં ચોમાસું વધુ આગળ વધવા...
સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે સમગ્ર ગુજરાતમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. કચ્છના માંડવીમાં આયોજિત ‘વૃંદાવન સેવા અમૃત મહોત્સવ’ દરમિયાન સ્વામીએ મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, “જો બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ...
જરાત સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણની બચત માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને ૧૧ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ, સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી કચેરીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.
પરિપત્રની મુખ્ય...