હળવદ તાલુકાના ધણાદ ગામે વાડી વિસ્તારમાંથી ભેદી સંજોગોમાં લોહી લુહાણ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ યુવાન વાડીએ ઉનાળુ તલનું રખોપુ ગયા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી નાખવામાં આવતા હળવદ પોલીસ ટીમે ઘટનાસ્થળે દોડી જઈને ગુન્હો નોંધવા સહિતની આગળની તજવીજ હાથ ધરી છે.
મૃતક રાજુની ફાઈલ તસ્વીર
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ધણાદ ગામે રહેતા 25 વર્ષીય રાજુભાઈ નાગરભાઈ ઝિંઝરીયા નામના યુવાનની તેની જ વાડીમાંથી મોડી રાત્રે લોહી લુહાણ હાલતમાં લાશ મળી હતી. આ ઘટનાને પગલે હળવદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યાનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજુભાઈની ધણાદ રણમલપુર રોડ ઉપર વાડી આવેલી છે અને આ વાડીમાં હાલમાં ઉનાળુ તલનું વાવેતર કરેલું હોય તેઓ રોજ રાત્રીના વાડીએ રખોપુ કરવા જતા હતા. તે દરમિયાન ગઈકાલે રાત્રે પણ નિત્યક્રમ મુજબ વાડીએ ગયા હતા જ્યાં કોઈ અજાણ્યા શખ્સોએ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી: સંપર્ક સહયોગ સેવા સંસ્કાર અને સમર્પણના સિદ્ધાંતોને વરેલી રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા ગુરુપૂર્ણિનો તહેવાર આગામી દિવસોમાં આવી રહ્યો હોય એ નિમિતે પીએમશ્રી માધાપર વાડી કન્યા શાળામાં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વર્તમાન સમયમાં ગુરુ છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ...
વાંકાનેરના તાલુકાના લાકડધાર ગામની સીમમાં તળાવ પાસે પાવર હાઉસ સામે ખરાબમાંથી વિદેશી દારૂની ૫૨ બોટલો સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા...
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર જાંબુડીયા આર.ટી.ઓ કચેરીની સામે રોડ પર ટ્રકે હડફેટે લેતા રીક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના વતની અને હાલ મોરબીના ત્રાજપર ખારીમા કુબેર સિનેમા પાસે ધાર ઉપર...