હળવદ તાલુકાના ધણાદ ગામે વાડી વિસ્તારમાંથી ભેદી સંજોગોમાં લોહી લુહાણ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ યુવાન વાડીએ ઉનાળુ તલનું રખોપુ ગયા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી નાખવામાં આવતા હળવદ પોલીસ ટીમે ઘટનાસ્થળે દોડી જઈને ગુન્હો નોંધવા સહિતની આગળની તજવીજ હાથ ધરી છે.
મૃતક રાજુની ફાઈલ તસ્વીર
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ધણાદ ગામે રહેતા 25 વર્ષીય રાજુભાઈ નાગરભાઈ ઝિંઝરીયા નામના યુવાનની તેની જ વાડીમાંથી મોડી રાત્રે લોહી લુહાણ હાલતમાં લાશ મળી હતી. આ ઘટનાને પગલે હળવદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યાનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજુભાઈની ધણાદ રણમલપુર રોડ ઉપર વાડી આવેલી છે અને આ વાડીમાં હાલમાં ઉનાળુ તલનું વાવેતર કરેલું હોય તેઓ રોજ રાત્રીના વાડીએ રખોપુ કરવા જતા હતા. તે દરમિયાન ગઈકાલે રાત્રે પણ નિત્યક્રમ મુજબ વાડીએ ગયા હતા જ્યાં કોઈ અજાણ્યા શખ્સોએ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂ બીયર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૧,૪૭,૦૪૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે...
મોરબીના વીસીપરા વિસ્તારમાં સેન્ટમેરી ફાટક પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૪૦૯૫૦ નો મુદામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી નવલખી રોડ સેન્ટમેરી ફાટક પાસે રહેતા આરોપી રોહીત મુન્નાભાઈ સરવૈયા એ...
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...