મોરબી : સમગ્ર ગુજરાતના વીસીઈ કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને ગત 11 તારીખથી હડતાળ પર છે ત્યારે આગામી 25મી તારીખ સુધીમાં વીસીઈ કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સામુહિક રાજીનામાંની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મોરબી વીસીઈ કર્મચારી મહામંડળના પ્રમુખ બીપીનભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં કામ કરતા 400 થી વધુ વીસીઈ કર્મચારીઓ સહીત રાજ્યભરના ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટરો વિવિધ માંગણીઓને પગલે આંદોલન ચલાવી રહ્યા છે છતાં તેમના પ્રશ્નોનો નિવેડો લાવવા સરકાર પ્રયત્નશીલ નથી ત્યારે આગામી તા. 25 સુધીમાં માંગણીઓ નહીં સંતોષાય તો સામુહિક રાજીનામા આપવામાં આપશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...