મોરબીના ધરમપુર અને ટીંબડી ગામની સીમમાં મોટા પ્રમાણમાં ખનીજની ગેરકાયદેસર ચોરી થઈ રહી છે અને આ ખનીજને જમીનમાંથી કાઢવા માટે બ્લાસ્ટીંગ કરવામાં આવે છે જેના કારણે લોકોના ઘરો ગામમાં રહેતા લોકોના ઘરોમાં તિરાડો પડે છે એટલું જ નહીં, રસ્તા પર કાદવ અને પથ્થરોથી ભરેલા મોટા અને ભારે વાહનોની અવરજવરને કારણે માર્ગ તૂટી જાય છે
અને ખરાબ રીતે નુકસાન થાય છે અને પરિણામે અવાર-નવાર રસ્તા પર નાના-મોટા અકસ્માતો સર્જાય છે.અને આ ભારે વાહનો અને બ્લાસ્ટીંગના કારણે ગામમાં પ્રદુષણની સાથે અન્ય નુકશાન પણ થાય છે. ખનીજ વિભાગને દેખાતી નથી, આ રીતે તેઓ આંખે પાટા બાંધીને બેઠા છે. ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચુંટણીના દિવસોમા ધારાસભ્યો તેમને જુસ્સો આપીને મત છીનવી લે છે. જ્યારે ધારાસભ્યોને કોઈ કામ કરવાની વાત આવે છે ત્યારે આ ધારાસભ્યો યોગ્ય જવાબ પણ આપતા નથી.જેના કારણે ધરમપુર અને ટીંબડી ગામના 130 લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આ ગેરકાયદેસર ખનન અટકાવવા અને આગામી સમયમાં આ ખનીજ ચોરી બંધ કરી નવી લીઝ મંજૂર કરતી વખતે ધરમપુર ગ્રામ પંચાયતનો અભિપ્રાય લેવો એવી રજુઆત કરવામાં આવી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...