માળીયાના બગસરા ગામના સરપંચ તથા પંચાયતના તલાટી મંત્રી દ્વારા ગામમાં આવેલ જર્જરિત આવાસના કુલ -૪ રૂમનો તથા લોબીના કાટમાળને હટાવવા માટે પંચાયતે ગયા મેં મહિનામાં સામાન્ય સભામાં મંજૂરી મેળવી હતી. આ કાટમાળ ની હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
આ હરરાજી માં ભાગ લેવા ઈચ્છતા લોકોએ એક હજાર રૂપિયા ડીપોઝીટ ભરવાની રહેશે અને કાટમાળ ની અપસેટ રકમ રૂપિયા ૧૩૪૫ નક્કી કરવામાં આવી છે. આ હરરાજી આગામી તારીખ 07-06-2022 ના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવશે તેમજ આ કાટમાળ દિવસ-7 માં (તા.08-06-2022 થી 14-06-2022) સુધીમાં કાટમાળ ખસેડવાનો રહેશે
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...