મોરબી જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર વયનિવૃત્ત થતા હોય, જેમને વર્ષો સુધી કે.ની.શિક્ષણ, કે.ની.વહીવટ,તાલુકા પ્રાથમિક અને નાયબ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે વિવિધ પદો પર રહી નિર્વિવાદ રહી કુનેહપૂર્વક અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ હોય વય નિવૃત્ત થતા તેમનું શેષ જીવન પરિવાર સાથે સુખ,શાંતિ અને આનંદમયી રીતે પસાર થાય એ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ કાર્યકર્તા હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કાચરોલા, પ્રદીપભાઈ કુવાડિયા, સંદીપભાઈ લોરીયા, મહાદેવભાઈ રંગપડીયા, બળદેવભાઈ વગેરેએ વિદાયમાન આપેલ હતું.
10 નવેમ્બર 2025 ના રોજ એક 75 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ ની સારવાર માં દાખલ થયા. જ્યારે દર્દી દાખલ થયા ત્યારે તેમને ખૂબ શ્વાસ ચડવો, પેશાબ આવતો બંધ થય જવો, ગભરામણ થવી જેવી અનેક તકલીફો હતી. આગળ તપાસ કરતા જણાયુ કે દર્દી નું હૃદય...
મોરબી શહેરમાં આવેલ રૂષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે ત્યારે આ પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા રૂષભ પાર્ક સોસાયટી રહિશો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે રૂષભપાર્ક સોસાયટી ન્યુ ચંદ્રેશનગર ની બાજુમાં યદુનંદન રર ની પાછળ આવેલ છે સૌ...
સરકારના ચુંટણી પંચ દ્વારા S.I.R ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં B.L.O ઘરે ઘરે જઈને એક વાર ગણતરી પત્રક પોહચાડે છે અને માહિતી મેળવે છે ત્યારે કાંતિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્ય સરકારના મુખ્ય ચુંટણી કમીશ્નરને લેખિત રજુઆત કરી S.I.R ની કામગીરીનો સમય વધારવા તથા B.L.O ની સહાયકોની...