મોરબી: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને આઠ વર્ષ પૂર્ણ થતા મોરબી ભાજપ શહેર પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ શહેર યુવા મોરચા દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ યોજનાના પ્લે કાર્ડ દ્વારા મોરબીના નવા બસસ્ટેન્ડ પાસે જન જાગૃતિ અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી સુખદેવભાઈ દેલવાણીયા તેમજ રાજકોટ જિલ્લા યુવા મોરચાના પ્રભારી મહાવીરસિંહ જાડેજા, શહેર યુવા મોરચાના પ્રભારી ડી.ડી.જાડેજા તેમજ શહેર યુવા મોરચાના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અરુણભાઈ રામાવત, અજયભાઇ કોટક, રવિભાઈ રબારી તેમજ મિતુલભાઈ ધ્રાંગા અને મંત્રી શક્તિસિંહ જાડેજા, ધવલભાઈ ત્રિવેદી સહીતના યુવા મોરચાની ટીમ તેમજ કાર્યક્રમના સહયોગી ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...