મોરબી માં ધીમે ધીમે ક્રાઇમ વધી રહ્યા છે. ધોળા દિવસે ફાયરિંગ, લૂંટ, મારામારી , ખૂબ , ચોરી, ઉદ્યોગકારો પર હુમલો જેવા કિસ્સાઓ ની મોરબી વાસીઓ ને હવે જાણે આદત પડી ગઈ છે. અવાર નવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે મોરબી તાલુકા ના ઊંચી માંડલ ગામ નજીક આવેલ મોબાઈલ ની શોપ માં લુટારુઓ એ ધોળા દિવસે ફાયરિંગ કરીને લૂંટ ચલાવી હતી.
મોરબી તાલુકા ના ઊંચી માંડલ ગામ નજીક આજ રોજ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં મોબાઈલની શોપમાં લૂંટારુઓ દ્વારા બંધુક ના ભડાકા કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. આશરે ૨૫ હજારની લૂંટ ચલાવી લુટારુઓ રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ એક્શન મોડ માં આવી છે.
ધોળા દિવસે થયેલ આ લૂંટ અંગેની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઊંચી માંડલ નજીક તડાવિયા શનાળા જવાના રસ્તા પર એક મોબાઈલ ની શોપ માં આજ રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ૨ ઇસમો મોબાઈલમાં ગ્લાસ નખવવના બહાને શોપમાં ઘૂસી ગયા હતા ત્યારે દુકાનના માલિકે તેમને ગ્લાસ નાખી આપ્યો હતો બાદ પૈસા માગતા લૂંટારુએ દરવાજો બંધ કરી બંધુક બતાવી ” જીતના પૈસા હૈ નીકાલો” કહી ફાયરિંગ કરી ને રૂપિયા ૨૫ હાજર ની લૂંટ ચલાવી હતી. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
આવી જ ઘટનાઓ દિનપ્રતિદિન મોરબીમાં વધી રહી છે. અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. ત્યારે થોડા સમય પહેલા મોરબીની મુલાકાતે અને કાયદા અને વ્યવસ્થાની સમીક્ષા કરવા આવેલ ગુજરાતના માનન્ય ગૃહમંત્રી “હર્ષ સંઘવી” સાહેબ એ કહ્યું હતું કે મોરબી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ક્રાઇમ રેટ ઘટયો છે.
શું સાચે ક્રાઇમ રેટ ઘટયો છે ?
શું સત્ય છે એ તો મોરબીની હોશિયાર જનતા સારી રીતે જાણે છે સાહેબ.
મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.
જે અન્વયે સ્વ....
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં તા. ૨૩-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી ૪:૦૦ દરમિયાન પટેલ સમાજ વાડી, બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ (આયુર્વેદ -હોમી. નિદાન સારવાર-કેમ્પ)"નું આયોજન...
મોરબી જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી ખાતે મોરબી તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી /...