હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય, અને ચોમાસાની શરૂઆત થતાં જ ખેડૂતોએ પોતાનો પાક લેવા માટે વાવણી શરૂ કરી દીધી હોય છે. ત્યારે હાલ મોરબીમાં વરસાદ ખેંચાઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ટંકારાના પરેશભાઈ ઉજરિયા એ ખેડૂતોના વીજળીના પ્રશ્નો જલ્દી હલ કરવા માટે રજૂઆત કરી છે.
પરેશભાઈ ઉજરિયા એ ટંકારા પીજીવીસીએલ ના ડેપ્યુટી ઈજનેર (ખેતીવાડી શાખા) ને લેખિતમાં જણાવ્યું છે કે ટંકારા તાલુકાના ગામડાઓમાં ખેડૂતોને ખેતીવાડી માટે ના કનેક્શનો મંજુર થયેલ હોય પરંતુ ટીસી ની અછત તથા અન્ય વીજ કનેક્શન ના અભાવના કારણે ખેડૂતોને હજુ સુધી પૂરતી વીજળી મળતી નથી અને ખેડૂતોને હાલ વીજ કનેક્શનની ખૂબ જ જરૂર હોય ત્યારે આ તમામ પ્રશ્નોનો તાત્કાલિક હાલ કરવા માટેની રજૂઆત કરી છે. વધુમાં તેઓ કહે છે કે ખેડૂતો દ્વારા અવારનવાર પીજીવીસીએલ કચેરીમાં ટીસીની માંગણી કરી હોય અને મંજૂર પણ થઈ ગયેલા હોય છતાં પણ ટીસી આપવામાં પીજીવીસીએલ દ્વારા વિલંબ કરવામાં આવે છે.જેથી આ તમામ પ્રશ્નોનો હલ કરવા માટે પરેશ ઉજરીયા એ લેખિતમાં રજૂઆત કરી છે.
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...