૫ જુલાઇ થી ૧૯ જુલાઇ સુધી રથના કાર્યક્રમો દરમિયાન લોકોને વિવિધ જન સેવા મળી રહે તેવું આયોજન કરાયું
આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં આગામી પાંચમી જુલાઇથી જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે રૂટ નક્કી કરીને વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન ઘડવામાં આવ્યું છે. જેની તૈયારીઓ અંગેની બેઠક મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની વિશેષ ઉપસ્થિતિમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
સમગ્ર યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે મોરબી જિલ્લાનું તંત્ર કામ કરી રહ્યું છે. વંદે ગુજરાત વિકાસયાત્રા સાચા અર્થમાં જનસેવા નો સેવાયજ્ઞ બની રહે તે માટે ટીમ વર્કથી કામ કરવા માટે જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા વિવિધ કચેરીઓના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે.
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે આગામી તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર ખાતે મોરબી ક્લસ્ટર કક્ષાના મેગા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયોજન અનિવાર્ય સંજોગોના કારણે રદ કરવામાં આવ્યું છે. જેના બદલે નિયત સ્થળ અને સમયે તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ મોરબી તાલુકા કક્ષાનાં...
મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ ચતુર્થિના પર્વ નિમિતે ભગવાનશ્રી ગણેશજી પ્રતિમાઓની સ્થાપના થનાર છે. જેથી તા.૨૭/૦૮/૨૦૨૫ ના રોજ ગણપતિ મૂર્તિની સ્થાપના થયા બાદ ગણપતિ વિસર્જન સુધીના સમય દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે.
બાદમાં ગણપતિ સ્થાપના સ્થળથી વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભવ્ય ઉજવણી...
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા માળિયા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત જળબંબાકાર પુરની સ્થિતિ નિવારવા માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માળિયા શહેર અને માળિયા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત પુરની સ્થિતિ વારંવાર સર્જાતી હોઈ છે ત્યારે...