મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા વિરજીભાઇ તેમજ તેમના અન્ય બે ભાઈઓ ના નામે આશરે ૧૫૫૦ ચોરસ મીટરની જમીન હોય. ત્યારે આશરે દોઢ વર્ષ પહેલાં ફરિયાદી વિરજીભાઇનો ભત્રીજો વિશાલ વાડીમાં હોજ ગાળવા જતા વલમજીભાઈ ના દીકરા દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા, થોડા સમય બાદ ખેતી કરતા પણ રોકી દેવામાં આવ્યા હતા. બાદ ફરિયાદી દ્વારા આ બાબતે આર.ટી.આઇ. કરવામાં આવી હતી. ત્યારે આર.ટી.આઇ ના જવાબમાં જમીનનું સમતિપત્ર આપવામાં આવ્યું હતું. જે ફરિયાદી અનુસાર બનાવતી હોય તેમજ તેમાં જે હસ્તાક્ષર કરવામાં આવ્યા હોય તે પણ તેમના ના હોય ત્યારે આ બાબતે મોરબી કલેકટર પાસે રજૂઆત કરવામાં આવી છે.
બાદ આરોપીઓ દ્વારા ખોટા સમતિપત્રનો ઉપયોગ કરી બિનખેતી જમીન માંથી ફરિયાદીની જમીનમાં ખોટો રસ્તો બતાવી , જમીનને ગેરકાયદેસર દબાણ રસ્તા તરીકે ઉપયોગ કરતા હોય. ત્યારે વલમજીભાઈ કાલરીયા તેમજ પરેશભાઈ પાંચોટિયા દ્વારા ફરિયાદીના નામની જમીન પર કબ્જો કરવા બાબતે ગુન્હો નોંધાયો છે
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે આગામી તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર ખાતે મોરબી ક્લસ્ટર કક્ષાના મેગા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયોજન અનિવાર્ય સંજોગોના કારણે રદ કરવામાં આવ્યું છે. જેના બદલે નિયત સ્થળ અને સમયે તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ મોરબી તાલુકા કક્ષાનાં...
મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ ચતુર્થિના પર્વ નિમિતે ભગવાનશ્રી ગણેશજી પ્રતિમાઓની સ્થાપના થનાર છે. જેથી તા.૨૭/૦૮/૨૦૨૫ ના રોજ ગણપતિ મૂર્તિની સ્થાપના થયા બાદ ગણપતિ વિસર્જન સુધીના સમય દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે.
બાદમાં ગણપતિ સ્થાપના સ્થળથી વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભવ્ય ઉજવણી...
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા માળિયા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત જળબંબાકાર પુરની સ્થિતિ નિવારવા માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માળિયા શહેર અને માળિયા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત પુરની સ્થિતિ વારંવાર સર્જાતી હોઈ છે ત્યારે...