વિવિધ વિભાગની ૨૦ વર્ષની વિકાસ યાત્રા તેમજ સખી મંડળો દ્વારા વેચાણ મેળાનું આયોજન કરવામાં આવશે
મોરબી જિલ્લાના સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું ઉદ્દઘાટન રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ્ હસ્તે ૩૦ મી જૂનના રોજ સવારે ૧૦ કલાકે કરવામાં આવશે.
ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાં સખી મેળા તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લાના સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું એલ. ઈ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે ૩૦ મી જૂન થી ૮મી જુલાઈ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદ્દઘાટન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા કરવામાં આવનાર છે. જેમાં વિવિધ વિભાગની ૨૦ વર્ષની વિકાસ યાત્રાનું પ્રદર્શન તેમજ સખી મંડળો દ્વારા વેચાણ તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના પંચાસર ગામે ગાડા મારગ નું કામ ચાલું હોય તેથી ટ્રેક્ટરો માટી ભરી ચાલતા હોય ત્યારે યુવકના ઘર સામે માટી તથા પથ્થર પડેલ હોય જેથી આ માટી સાફ કરાવવા કહેતા આરોપી ઉશ્કેરાઇ યુવકને માર મારી જાતી પ્રત્યે હડધૂત કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પંચાસર...
મોરબી શહેરમાં ગાંધી ચોકમાંથી અને અવની ચોકડી પાસેથી બાઈક ચોરી કરી કોઈ અજાણ્યો શખ્સ લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ જામનગર જિલ્લાના લાલપુર ગામના વતની અને હાલ મોરબીના રવાપર ઘુનડા રોડ પર રવાપર રેસીડેન્સી દેવરત્ન એપાર્ટમેન્ટ -૮૦૩મા રહેતા સાગરભાઈ રસીકભાઇ...
મોરબી જીલ્લા પોલીસ દ્વારા નવા કાયદાની લોકોને સમજ આપવા નવતર પ્રયોગ
મોરબી જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જાહેર જનતાને નવા કાયદાની સમજ આપવા માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં ત્રણેય નવા કાયદા વિશે માહિતી મળે એ હેતુથી ઓડિયો, વીડિયો તથા ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે....