વર્ષ ૧૯૪૯ થી ICAI (Institute of chartered accountants of india) દ્વારા પ્રતિવર્ષ તા.૧ જુલાઈ ના રોજ નેશનલ સી.એ. ડે ઉજવવા મા આવે છે ત્યારે આજ રોજ મોરબી ની ઓસેમ સી.બી.એસ.ઈ. સ્કુલ ખાતે ધો-૧૧-૧૨ કોમર્સ ના સી.બી.એસ.ઈ. ના વિદ્યાર્થીઓ માટે એક સેમિનાર નુ અનેરૂ આયોજન કરવા મા આવ્યુ હતુ. જે અંતર્ગત મોરબી ના ખ્યાતનામ સી.એ. ટ્વિંકલ શાહ, સી.એ. જય સેજપાલ, સી.એ. હાર્દીક રાયચુરા દ્વારા વિદ્યાર્થીઓને સી.એ. ના અભ્યાસક્રમ વિશે તેમજ સી.એ. કઈ રીતે પાસ આઉટ કરવુ તેમજ સી.એ. કર્યા બાદ દેશ-વિદેશ મા કેટલી તકો ઉપલબ્ધ છે તેના વિશે તલસ્પર્શી માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ.
વિદ્યાર્થીઓ ના ઉજ્જવળ ભવિષ્ય માટે હરહંમેશ કટીબધ્ધ મોરબી ની નામાંકીત સંસ્થા OSEM C.B.S.E ના ધો-૧૧-૧૨ કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે કરાયેલ સેમિનાર ના આયોજન બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, નારૂભા જેઠવા સાહેબ, ભવ્યદીપસિંહ જેઠવા સાહેબ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા સહીતનાઓએ સ્ટાફ મેમ્બર્સ તથા વિદ્યાર્થીઓને શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા.
નેશનલ સી.એ. ડે સેમિનાર ને સફળ બનાવવા સંસ્થા ના પ્રિન્સિપાલ દીપાબેન શર્મા, કોમર્સ હેડ નિર્મિતભાઈ કક્કડ, દીપીકા મેડમ, અંકિતા મેડમ, સંતોષ સર સહીત ધો.૧૧-૧૨ ના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
મોરબી મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ફેબ્રુઆરી 2026 સુધી જાહેર માર્ગ પર અડચણ રૂપ 2,517 પશુ પકડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારમાંથી જાહેર માર્ગો પર રખડતાં ઢોર પકડીને મોરબી મહાનગર પાલિકા દ્વારા આજુ-બાજુની ગૌશાળા તથા પાંજરાપોળ માં મૂકવામાં આવ્યા છે.
મોરબી મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 188 પશુ માલિકોને...
પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય , કામધેનુ યુનિવર્સિટી જૂનાગઢ ના સહ પ્રાધ્યાપક અને બુલમધર ફાર્મ , કામધેનુ યુનિવર્સિટી ના યુનિટ હેડ ડો હરીશ એચ સવસાણી રાષ્ટ્રીય કક્ષા ની સંસ્થા એનિમલ ન્યૂટ્રિશન એસોસિએશન ઓફ ઈન્ડિયાની તાજેતરમા યોજાયેલ ચૂંટણીમાં વાઇસ પ્રેસિડેન્ટ (વેસ્ટ ઝોન) તરીકે ૨૦૨૬-૨૦૨૮ વર્ષ માટે બીન હરીફ ચૂંટાય આવ્યા...