મોરબીના મહેન્દ્ર નગર પાસે આવેલ સુ પ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે સંત શિરોમણી બજરંગ દાસ બાપાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે યજ્ઞ, મહાપ્રસાદ, ધુન-ભજન સહિતના કાર્યકમો યોજાયા
મોરબીના મહેન્દ્રનગર ધાયડી પાસે ધુટુ રોડ પર સંત શિરોમણી બજરંગદાસ બાપાની આજથી ૧૬ વર્ષ પહેલા ભક્તોએ મઢુલી બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.અને સેવા પૂજા કરતા હતા.પરંતુ તાજેતરમાં સરકારશ્રી દ્વારા અહી ઓવરબ્રિજ મંજુર કરતા આ મઢુલી તુટમાં જતી હતી.જેથી સૌ ભકતજનોએ સરકારની વાત સ્વીકારી સ્વચેછાએ બાપાની મૂર્તિ અને સ્થળ પધરાવવા સહેમત થતાં અને ત્યાં જગ્યા ખુલી કરી આપવા નિર્ણય લઈ સુ પ્રસિધ્ધ રામધન આશ્રમ ના મહંત ભાવેશ્વરી માતાજીને મૂતિ રામધન આશ્રમમાં પધરાવવા વાત મુકતા માતાજીએ આ વાત સહર્ષ વધાવી લીધી હતી. અને સાત દિવસ માં રામધન આશ્રમ ખાતે બાપાની મઢુલીનું નિમાર્ણ થયું હતું. અને સંત શિરોમણી બજરંગ દાસ બાપાની મૂતિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે યજ્ઞ,સંતોનું સન્માન ,મહાપ્રસાદ અને રાત્રે સંતવાણી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સંત ભૂપતબાપુ કાગદડી આશ્રમ, રતનેશ્વરીબેન, સહિતના સંતો -મહંત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમને સફળ બનાવવા દેવકરણભાઈ કરશનભાઈ, ભુદરભાઈ,પોપટભાઈ,ઓડીયાસાહેબ,તેમજ ધુનમંડળના ત્રિભોવનભાઈ,રામજીભાઈ,ચુનીભાઈ, રૂગનાથભાઈ, દિલીપભાઈ, મહેશ મહારાજ, સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.
મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.
જે અન્વયે સ્વ....
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં તા. ૨૩-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી ૪:૦૦ દરમિયાન પટેલ સમાજ વાડી, બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ (આયુર્વેદ -હોમી. નિદાન સારવાર-કેમ્પ)"નું આયોજન...
મોરબી જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી ખાતે મોરબી તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી /...