મોરબી તાલુકાના બગથળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત બગથળા સી.આર.સી મુકામે કલા ઉત્સવનું આયોજન કરેલ જેમાં જી.સી.ઈ. આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-રાજકોટ દ્વારા દર વર્ષે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે
જેમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એવા હેતુસર ગાયન,વાદન,કાવ્ય લેખન અને ચિત્ર જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે,આ સ્પર્ધામાં બીલીયા પ્રાથમિક શાળાના બાળકો એ તમામ વિભાગોમાં નંબર પ્રાપ્ત કરી સુંદર પ્રદર્શન કરી મેદાન માર્યું છે જેમાં (૧) ચિત્ર સ્પર્ધા .સરવૈયા જતીનભાઈ ભરતભાઈ પ્રથમ નંબરે આવેલ છે (૨) સંગીત ગાયન સ્પર્ધામાં સાણંદિયા ભવ્ય અરવિંદભાઈ પ્રથમ નંબરે આવેલ છે.(૩) સંગીત વાદન સ્પર્ધામાં શેરસીયા જ્ઞાન હસમુખ પ્રથમ નંબરે આવેલ છે.(૩) બાળ કવિ સંમેલનમાં કાવર ઐષી નીતિનભાઈ દ્વિતીય નંબરે આવેલ છે તો આ તમામ બાળકોને શાળા પરિવાર તથા આચાર્ય શ્રી કિરણભાઈ કાચરોલાએ અભિનંદન અને શુભેચ્છા પાઠવેલ છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે કરવામાં આવેલા કાર્યને ૧ વર્ષ પૂર્ણ થતા આ મહત્વપૂર્ણ અવસરને ઉજવવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે તા. ૩૧/૧૨/૨૦૨૫ ના રોજ સાંજે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી પટેલ સમાજવાડી, શનાળા ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન...
મોરબીની જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 18 વર્ષે પુન: મળ્યા હતા અને સમયની જુની યાદો તાજા કરી હતી.
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે અભ્યાસ કરતા બી.એડ.ના વિદ્યાર્થીઓએ પુનઃ મળવાનું અને જૂની યાદો તાજી કરવા માટેનું આયોજન નક્કી કર્યું હતું....
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ધારાસભ્યની ગ્રાન્ટ અન્વયે દશ કામોને મંજૂરી આપી જે પૈકી રૂ. 27.84 લાખના જુદા-જુદા પાંચ કામો પૂર્ણ કરવામાં આવેલ છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટ અન્વયે જુદા-જુદા ૧૦(દસ) કામોની મંજુરી આપી શરૂ કરવામાં આવેલ જે પૈકી ૧) રૂ.૬.૯૯ લાખના ખર્ચે વાવડી રોડ વિસ્તાર (શ્રીહરી પાર્ક વોર્ડ નં.-૧)માં...