મોરબી: મોરબીમાં માધાપર અંબીકા રોડ પર આવેલી ભાડાની દુકાનમાં પ્રૌઢે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૧ મા રહેતા દીપકભાઈ મયુરભાઈ પોપટ (ઉ.વ.૫૫)એ ગત તા ૨૪-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે માધાપર અંબીકા રોડ પર ભાડાની દુકાનમાં કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. જેની ડેડ બોડી પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી નટરાજ ફાટક પાસેથી વિદેશી દારૂની ૦૪ બોટલ જેની કિંમત રૂપિયા ૪૪૦૦ ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...
મોરબીમા ખરાબ રોડ રસ્તા અને વાહનચાલકોની બેદરકારીના કારણે છાશવારે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે મોરબીના કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ સામે મહાશક્તિ પાનની દુકાન પાસે રોડ ઉપર આઇસરે હડફેટે લઈ યુવકને ઈજા પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ નવજીવન સ્કૂલની...