આસો મહિનામાં માતાજીના નવલા નોરતાના આવતા હોય છે ત્યાં કચ્છ માં આવેલા આશાપુરા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓ માટે મોરબી ના ટીંબડી ના ગામના મનીષભાઈ દેવમુરારી ની ટીમ દ્વારા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓ ની સેવા માં સતત ૧૩ વર્ષથી ખડેપગે સેવા આપી રહ્યા છે
જેમાં તેમની ટીમ દ્વારા હરતા ફરતા સેવા કેમ્પમાં સફરજન, માજા,થમસપ,લીંબુ સરબત,ફરસાણ,તેમજ મેડિકલ સહિતની સેવા પણ પદયાત્રીઓ ને આપી રહ્યા છે જેમાં મનીષભાઈ દેવમુરારી,રમેશભાઈ રૈયાણી,મહેન્દ્રસિંહ જાડેજા,પિયુષ ભાઈ દેવમુરારી,કાનાભા ગઢવી,જયદીપ ચાવડા, ભરતદાસ બાપુ (મહંત નારિચાણીયા હનુમાનજી મંદિર મોટા રામપર) રમેશભાઈ,કિશોર ભાઈ પટેલ, આકાશ પંડ્યા,હિરેન,નિખિલ સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...