મોરબી: રાજ્યભરમાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના સેવાભાવી એવા અજયભાઈ લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં પાટીદાર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ પ્રાંતના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેશીયા તેમના પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. અને ડો. જયંતિભાઈ ભાડેશીયાના વરદ હસ્તે શહીદ જવાનોના પરિવારજનોને રૂપીયા ૧-૧ લાખના ચેક આપવામાં આવ્યા હતા.
મોરબીમાં પાટીદાર નવરાત્રિ મહોત્સવના બીજા નોરતે અજયભાઈ લોરિયા દ્વારા બનાસકાંઠાના વડગામના શહીદ જવાન રમેશભાઈ અને મહેમદપુર (જમ્મુ)ના શહીદ જવાન જસવંતસિંહના પરિવારજનોને રૂપિયાના એક -એક લાખના ચેક આપી આર્થિક સહાય કરી હતી.
અમદાવાદ: ગુજરાત અત્યારે કાળઝાળ ગરમીની ચપેટમાં છે, જેમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. હવામાન વિભાગના તાજા અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર 43.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમદાવાદમાં પણ વધતી ગરમીને જોતા 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જોકે, આ...
ગાંધીનગર: ગાંધીનગરમાં યોજાયેલી એવિએશન સમિટ માં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, આ ગોઝારી દુર્ઘટનાની તપાસ આગામી એક મહિનામાં પૂર્ણ થશે અને તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. 242 લોકોના જીવ લેનારી આ દુર્ઘટનાની તપાસ પારદર્શિતાથી થઈ રહી...
GSEB Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના લાખો વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. બોર્ડ દ્વારા સત્તાવાર રીતે પરિણામની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.
ક્યારે જાહેર થશે પરિણામ?
4 મે, 2026: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (Science), સામાન્ય પ્રવાહ (Commerce/Arts),...