મોરબી: મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં આવેલ ગોડાઉનની ઓરડીઓ દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને બાતમીના આધારે પોલીસે તે ગોડાઉનમાં દારૂની રેડ કરતાં ત્યાંથી ઈંગ્લીશ દારૂની ૮૯૮૮ બોટલો મળી કુલ રૂ. ૪૦,૫૧,૮૦૦ ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડયો હતો. અને અન્ય ત્રણ આરોપીઓના નામ ખુલતા તેની સામે પણ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમેને સંયુક્તમાં મળેલ ખાનગી હકિકત આધારે લીલાપર રાધે પાર્ટી પ્લોટની પાછળ, શીવ ગૌશાળા સંચાલીત ગીર ગાય ગૌશાળા એન્ડ ડેરીફાર્મની બાજુમાં આવેલ મિત વિજયભાઇ ચૌહાણ રહે. મોરબી વાળાએ ગોડાઉન ભાડે રાખેલ હોય જેમાં ઈંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ ૮૯૮૮ કિ.રૂ.૪૦,૫૧,૮૦૦ના
આરોપી મિત વિજયભાઇ ચૌહાણ / દરજી ઉ.વ ૨૪ રહે. દલવાડી સર્કલ પાસે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાટર્સ બ્લોક નં.-બી/૯ મકાન નં.૧૧૦ મોરબી મુળ રહે મોડપર તા.જી. મોરબી વાળો હાજર મળી આવતા મોરબી તાલુકા પોલીસ આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
એલસીબીની ટીમે હાલમાં જેને પકડેલ છે તેની પાસેથી દિપકસિંહ ખોડુભા વાઘેલા રહે. મોરબી, ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા રહે લજાઇ તાલુકો ટંકારા અને ચેતનસિંહ રવિન્દ્રસિંહ ચૌહાણ રહે. શનાળા રોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ મોરબી વાળાના નામ સામે આવેલ છે જેથી કરીને આ ચારેય શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોધીને ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...