મોરબી: મોરબી નાની બજાર વિશ્વકર્મા મંદિરની બાજુમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૮ બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પરથી નાશી છુટતા મોરબી સીટી એ ડીવિઝન પોલીસે તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી નાની બજાર વિશ્વકર્મા મંદિરની બાજુમાં રહેતા યોગીરાજ સિંહ ખોડુભા વાઘેલા (ઉ.વ.૩૨) અને દિપકસિંહ ખોડુભા વાઘેલા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૮ કિં.રૂ.૨૨,૨૦૦ ના મુદામાલ સાથે આરોપી યોગીરાજ સિંહ ખોડુભાને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયા હતા. જ્યારે અન્ય એક દિપકસિંહ નામનો ઈસમ નાશી છુટતા પોલીસે તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...