મોરબી: મોરબી નાની બજાર વિશ્વકર્મા મંદિરની બાજુમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૮ બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પરથી નાશી છુટતા મોરબી સીટી એ ડીવિઝન પોલીસે તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી નાની બજાર વિશ્વકર્મા મંદિરની બાજુમાં રહેતા યોગીરાજ સિંહ ખોડુભા વાઘેલા (ઉ.વ.૩૨) અને દિપકસિંહ ખોડુભા વાઘેલા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૮ કિં.રૂ.૨૨,૨૦૦ ના મુદામાલ સાથે આરોપી યોગીરાજ સિંહ ખોડુભાને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયા હતા. જ્યારે અન્ય એક દિપકસિંહ નામનો ઈસમ નાશી છુટતા પોલીસે તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...