મોરબી: ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસમાં અબ્દુલ ભાઈની દુકાન નજીક અહી ગાળો ન બોલો બહેન દીકરીઓ નીકળતી હોય તેમ કહેતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ સગીરને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસમાં રહેતા કિષ્નાભાઈ રાજેશભાઈ પરમાર (ઉ.વ.૧૭)એ તેમના જ ગામના પ્રવિણ દેવજીભાઈ પરમાર તથા યુવરાજભાઈ ભાઈલાલભાઈ પરમાર તથા સોહન ભુપતભાઇ પરમાર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ટંકારાના છતર ગામે દેવીપૂજક વાસમાં અબ્દુલ ભાઈની દુકાન નજીક આરોપી જાહેરમા ભુડા બોલી ગાળો બોલતા હોય તેથી ફરિયાદીએ કહેલ કે તમો ગાળૉ ન બોલો અહી બહેન દિકરી ઓ નીકળતી હોય જેથી ત્રણેય આરોપી ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને છાતી તેમજ પેટ અને માથા ના ભાગે ઢીકાપાટુ માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો ઇ.પી.કો. કલમ- ૩૨૩, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લામા અલગ અલગ જગ્યાએથી મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને ચોરીમાં ગયેલ કુલ કી.રૂ.૨,૪૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.
વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મોરબી જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી બે મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની...
રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન માનનીય મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની સાથે લાતી પ્લોટ વિસ્તારની પાણી ભરાવવાની તથા ખરાબ રસ્તાની સમસ્યાના નિરાકરણ માટે કમર કસી છે.
રાજ્ય સરકારના માર્ગ સમારકામ...