મોરબી: મોરબીના વીસીપરમા આવેલ આંબેડકર કોલોની શેરી નં -૨ માં દિકરી તેના પતીથી જુદી તેની માતાના ઘરે રેહવા જતી રહી હોય. ત્યારે સાસરીયા પક્ષ દ્રારા દીકરીની માતાને ઘર જઈ તેને કહેલું કે તમારી દિકરીને ક્યારે મોકલવાની છે તેમ કહેલ ત્યારે દીકરીની માતાએ કહેલ કે બે વડીલો લાવો વાતચિત કરી મોકલી દઈશુ તેમ કહેતા ઉશ્કેરાયેલા શખ્સે દીકરીની માતાને ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ છતરના રહેવાસી અને હાલ મોરબીના વીસીપરમા આવેલ આંબેડકર કોલોની શેરી નં -૧૨ માં રહેતા પ્રભાબેન રમેશભાઈ સારેસા (ઉ.વ.૪૫) એ આરોપી વસંતભાઇ દાનાભાઈ રાઠોડ (મુળ રહે. મોટા દહીસરા તા. માળીયા) હાલ રહે વીસીપરા ગુજરાત સોસાયટીમાં મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૫-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે ફરીયાદીની દીકરી છેલ્લા ત્રણેક માસથી તેના પતિથી જુદી રહેવા જતી રહેલ અને એકાદ માસથી ફરીયાદી સાથે રહેવા આવેલ હોય જેથી આરોપી ફરીયાદના ઘેર જઇને કહેલ કે તમારે તમારી દિકરીને ક્યારે મોકલવાની છે આમ કહેતા ફરીયાદીએ કહેલ કે તમારા ઘરના બે વડીલોને લાવો અમે વાત ચીત કરી મોકલી દઇશુ આમ વાત કરતા આરોપીએ ફરીયાદીને ગાળો બોલી પોતાની પાસે રહેલ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર મહિલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪,૫૦૬(૨)તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...