મોરબી: મોરબીના વીસીપરમા આવેલ આંબેડકર કોલોની શેરી નં -૨ માં દિકરી તેના પતીથી જુદી તેની માતાના ઘરે રેહવા જતી રહી હોય. ત્યારે સાસરીયા પક્ષ દ્રારા દીકરીની માતાને ઘર જઈ તેને કહેલું કે તમારી દિકરીને ક્યારે મોકલવાની છે તેમ કહેલ ત્યારે દીકરીની માતાએ કહેલ કે બે વડીલો લાવો વાતચિત કરી મોકલી દઈશુ તેમ કહેતા ઉશ્કેરાયેલા શખ્સે દીકરીની માતાને ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ છતરના રહેવાસી અને હાલ મોરબીના વીસીપરમા આવેલ આંબેડકર કોલોની શેરી નં -૧૨ માં રહેતા પ્રભાબેન રમેશભાઈ સારેસા (ઉ.વ.૪૫) એ આરોપી વસંતભાઇ દાનાભાઈ રાઠોડ (મુળ રહે. મોટા દહીસરા તા. માળીયા) હાલ રહે વીસીપરા ગુજરાત સોસાયટીમાં મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૫-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે ફરીયાદીની દીકરી છેલ્લા ત્રણેક માસથી તેના પતિથી જુદી રહેવા જતી રહેલ અને એકાદ માસથી ફરીયાદી સાથે રહેવા આવેલ હોય જેથી આરોપી ફરીયાદના ઘેર જઇને કહેલ કે તમારે તમારી દિકરીને ક્યારે મોકલવાની છે આમ કહેતા ફરીયાદીએ કહેલ કે તમારા ઘરના બે વડીલોને લાવો અમે વાત ચીત કરી મોકલી દઇશુ આમ વાત કરતા આરોપીએ ફરીયાદીને ગાળો બોલી પોતાની પાસે રહેલ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર મહિલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪,૫૦૬(૨)તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...