નવરાત્રિ એટલે જગત જનની મા ઉમિયાની આરધનાનું પર્વ. અને એટલે જ વર્ષ 2022ની નવરાત્રિમાં UV Club અમદાવાદ ( ધ ક્લબ ઓફ ઉમાવંશી અમદાવાદ) દ્વારા ઓગણજ નજીક આવેલા 9 બ્રધર્સ ગ્રાઉન્ડમાં બે દિવસીય રાસોત્સવનું આયોજન કરાયું હતું.
આ બે દિવસીય રાસોત્સવમાં સૌરાષ્ટ્રથી આવી અને અમદાવાદમાં ધંધા અને નોકરી અર્થે વસેલા કડવા પાટીદાર સમાજના 12 હજારથી વધુ પરિવારોએ આ રાસોત્સવમાં ભાગ લીધો હતો. જગત જનની મા ઉમિયાની શક્તિ ઉપાસનાનું નોરતું એટલે આઠમ અને નોમ. આ બંને દિવસે UV Club અમદાવાદ દ્વારા રાસોત્સવનું આયોજન કરાયું હતું. આ બે દિવસીય રાસોત્સવમાં બંને દિવસે લગભગ 5 -5 હજાર ખેલૈયાઓએ ભાગ લીધો હતો. અમદાવાદમાં વસતાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના પરિવારોને ફ્રી પાસ અપાયા હતા.અને આ સમગ્ર કાર્યક્રમ ખુબ જ શ્રેષ્ઠ રીતે સફળ થયો હતો. UV Club અમદાવાદનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મનોરંજનથી એકતા અને એકતાથી સમૃદ્ધિ. સમાજના યુવાનો મનોરંજનના માધ્યમથી સમાજ સાથે જોડાય અને આવનાર સમયમાં કડવા પાટીદાર સમાજની પરંપરાઓને સદીઓ સુધી જાળવી રાખે તે જ છે.
UV Club અમદાવાદની મેનેજમેન્ટ ટીમના જણાવ્યા અનુસાર બે દિવસીય રાસોત્સવમાં 108 મેનેજમેન્ટ ટીમના લગભગ 200થી વધુ યુવાનોએ સેવા આપી હતી. આ ઉપરાંત કાર્યક્રમની શોભા વધારવા વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ તેમજ સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુરતિયા અને ઉપપ્રમુખ નટુભાઈ પટેલ એવમ્ અમદાવાદના ડેપ્યુટી કમિશનર રમેશભાઈ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બે દિવસીય રાસોત્સવથી સમાજના યુવાનો સંગઠિત થશે અને સંગઠન મજબૂત બનશે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...