મોરબીના રઘુવંશી સમાજમાં સામાજિક, સાંસ્કૃતિક, સેવાકિય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત રોયલ રઘુવંશી ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી સમાજ માટે “રોયલ રાસોત્સવ – 2022″નું ભવ્ય, દિવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવેલ છે. તારીખ 08/10/2022 ને શનીવારના રોજ આ રાસોત્સવ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત સિંગર ગરબા કિંગ રાહુલ મહેતા પોતાની ટીમ સાથે ખેલૈયાઓ માટે સૂર અને સંગીતની રમઝટ બોલાવશે.
રાસોત્સવનો સમય રાત્રે 9 વાગ્યાથી રહેશે. પ્રવેશ મેળવનાર પ્રથમ 100 થી વધુ ખેલૈયાઓને વહેલા તે પહેલાના ધોરણે સ્યોર ગિફ્ટ આપવામાં આવશે. ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં રમનાર ખેલૈયાઓમાંથી વિજેતા ખેલૈયાઓને આકર્ષક ઈનામો દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણવા સમસ્ત મોરબી રઘુવંશી સમાજને રોયલ રઘુવંશી ગૃપ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. કાર્યક્રમમાં પ્રવેશ માટેના પાસ મેળવવાના સ્થળ નીચે મુજબ છે.
1. પુજારા ટેલિકોમ – સરદાર બાગ પાસે, શનાળા રોડ
2. સેલ્યુલર વર્લ્ડ – બાપા સિતારામ ચોક પાસે, રવાપર રોડ.
3. શ્રીજી કિડ્સ – શક્તિ પ્લોટ મેઈન રોડ.
4. શુભ મેચિંગ સેન્ટર – મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-2
5. ભોજાણી સ્ટોર – પરા બજાર, મોરબી
6. શ્રી રામ શિંગ સેન્ટર – જેલ રોડ
7. જય જલારામ ટ્રેડિંગ – ગાંધી ચોક
મોરબીના બાયપાસ રોડ પર દલવાડી સર્કલ નજીક રોડ ઉપર ટાટા ગાડીએ એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના પુત્રએ આરોપી ગાડી ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પાછળ બોખાની વાડીમાં રહેતા હિરાલાલ...
મોરબી શહેર તેમજ જિલ્લામાં વ્યાજના દુષણને ડામવા પોલીસ તેમજ જ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવા છતાં તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા છે અને વ્યાજખોરો આજે પણ બેફામ બની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબીમાં વેપારીએ ધંધા માટે વ્યાજે રૂપિયા લીધેલ હોય તે રૂપિયા વ્યાજ સહિત ચૂકવી આપેલ હોય...