મોરબી: સંત દેવીદાસ ગૌ-સેવા ગ્રૂપ- રવાપર દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે તા.૨૦-૧૦-૨૦૨૨ ને ગુરૂવારના રોજ સમય સાંજના ૯:૩૦ કલાકે મહાન ઐતિહાસિક નાટક “મહારાણા પ્રતાપ યાની કે મેવાડી તલવાર” સાથે પેટ પકડીને હસાવતું કોમીક “જેઠાલાલની જમાવટ” નાટક શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ – ગ્રાઉન્ડ બોનિપાર્ક- રવાપર ગોલ્ડ માર્કેટ પાછળ મોરબી ખાતે નાટક ભજવાશે.
તેથી સંત દેવીદાસ ગૌ-સેવા ગ્રૂપ- રવાપર દ્વારા સહર્ષ ધર્મપ્રેમી ભાવીભક્તો તથા સર્વે ભાઈ બહેનો વડિલો તથા યુવકોનો ઉત્સાહ વધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકા ની ફુડ શાખા દ્વારા શહેરના મીઠાઈ ફરસાણના વિક્રેતાઓ હોટલ- રેસ્ટોરન્ટ માં ખાદ્ય પદાર્થ નું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા સહિતની બાબતોની ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં મીઠાઈ- ફરસાણાના ધંધાર્થી હોટલ રેસ્ટોરન્ટ સહિત 29 જગ્યા પર ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરે વિઝીટ કરી...
આજે મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે CGWB (Central Ground Water Board), WCR ના અમદાવાદ થી પધારેલા અધિકારીઓ ડૉ. રતિકાંત નાયક – પ્રાદેશિક નિયામક, બિસ્વરૂપ મહાપાત્ર – સાયન્ટિસ્ટ, સદ્દામ હુસૈન સાયન્ટિસ્ટ અને પ્રબોધ કુમાર કુશ્વાહા – STA ની ઉપસ્થિતિમાં જાગૃતિ કાર્યક્રમ તથા ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું.
આ ઇન્ટરએક્ટિવ સેશનમાં સિરામિક...