મોરબી: માળિયા (મી) તાલુકાના મોટા ભેલા ગામે ૧૪ વર્ષની માસૂમ બાળકી ઉપર ૪૦ વર્ષના પ્રૌઢ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ માળીયા(મી)ના મોટાભેલા ગામે ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની સગીર વયની બાળકીને ખેતરના માલિક ભરત નારણભાઈ સુરાણી (ઉ.વ.૪૦) નામના હવસખોરે બાળકીને શિકાર બનાવી છે અને આરોપી દ્વારા આ શ્રમિક પરિવારને બીજાના ખેતરેથી થોડા દિવસો પહેલાજ પોતાના ખેતર એ લઈ આવ્યો હતો અને બાદમાં ગઈકાલે સાંજે એકલતાનો લાભ લઈને આ કૃત્યને અંજામ આપ્યો હતો. આ બનાવ બાદ બાળકીને ગંભીર હાલતમાં માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ માળીયા(મી) પોલીસની ટીમ દ્વારા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...