ટંકારા: શ્રી લોહાણા સમાજની વાડી, કન્યા શાળાની બાજુમાં, દેરી નાકા મેઇન રોડ, ટંકારા ખાતે તા. ૫મી માર્ચે ‘આયુષ મેળો’ તથા વિના મુલ્યે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાન અંતર્ગત, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશિત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબી તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી દ્વારા તા.૦૫-૦૩-૨૦૨૩ ને રવીવાર ના રોજ શ્રી લોહાણા સમાજની વાડી, કન્યા શાળાની બાજુમાં, દેરી નાકા મેઇન રોડ, ટંકારા ખાતે સવારે ૯-૦૦ થી ૩-૦૦ કલાકે “આયુષ મેળો” તથા આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રજાજનોની આરોગ્ય સુખાકારી હેતુ આયુષ મેળાનું આયોજન થવા જઇ રહયુ છે. તો આ પ્રસંગે આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિવારણ મેળવવા તેમજ વિવિધ આયુષની આરોગ્ય પધ્ધતિ વિશે માર્ગદર્શન મેળવી આરોગ્ય પ્રાપ્તિ માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રજાજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી મોરબી શહેરમાં સામરકાંઠે આવેલ સરસ્વતી સોસાયટી સામે ખુલ્લી જગ્યામાં જાહેરમાંથી વિદેશી દારૂની આઠ બોટલ જેની કિંમત રૂપિયા 9,000 નો મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના સામા કાંઠે આવેલ સરસ્વતી...
માળિયા મીયાણામા પ્રોહીબીશન ગુન્હામા સંડોવાયેલ બે ઇસમોને ડીટેઇન કરી પાસા હેઠળ ભાવનગર-જુનાગઢ જેલ હવાલે માળીયા મીયાણા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયર કરી મોકલતા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમોને...
માળિયા મીયાણા શહેરમાં પીપળીયા ચાર રસ્તા પાસે મોબાઈલની દુકાનમાં થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને માળીયા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
માળિયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે ખાનગી રાહે બાતમી મળેલ કે, પીપળીયા ચાર રસ્તા પાસે મોબાઇલની દુકાનમાં ચોરીને અંજામ આપનાર ઇસમ માળીયા (મીં) ખાતે મોબાઇલ...