ટંકારા: શ્રી લોહાણા સમાજની વાડી, કન્યા શાળાની બાજુમાં, દેરી નાકા મેઇન રોડ, ટંકારા ખાતે તા. ૫મી માર્ચે ‘આયુષ મેળો’ તથા વિના મુલ્યે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાન અંતર્ગત, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશિત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબી તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી દ્વારા તા.૦૫-૦૩-૨૦૨૩ ને રવીવાર ના રોજ શ્રી લોહાણા સમાજની વાડી, કન્યા શાળાની બાજુમાં, દેરી નાકા મેઇન રોડ, ટંકારા ખાતે સવારે ૯-૦૦ થી ૩-૦૦ કલાકે “આયુષ મેળો” તથા આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રજાજનોની આરોગ્ય સુખાકારી હેતુ આયુષ મેળાનું આયોજન થવા જઇ રહયુ છે. તો આ પ્રસંગે આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિવારણ મેળવવા તેમજ વિવિધ આયુષની આરોગ્ય પધ્ધતિ વિશે માર્ગદર્શન મેળવી આરોગ્ય પ્રાપ્તિ માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રજાજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી સિટી મામલતદાર ઓફીસમા તલાટી મંત્રી, મધ્યાનભોજનમા તથા એટીવીટી શાખામાં ઘણી જગ્યા ખાલી છે જે ભરવા બાબતે પૂર્વ સલાહકાર અન્ન અને નાગરિક પુરવઠાના પી.પી. જોષીએ કલેકટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક જગ્યાઓ ભરવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી સીટી મામલતદાર ઓફીસમાં હાલમા તલાટી મંત્રી આશરે દશેક (૧૦) જગ્યા...