હળવદ શહેરના વોર્ડ નંબર-6માં પ્રમુખ સ્વામીનગરમાં આવતા પીવાના પાણીથી લોકો પરેશાન થઈ ગયા છે. કારણ કે, તેમને મળતુ પીવાનું પાણી દુર્ગંધ મારતુ અને ફીણવાળું મળે છે. જેથી ત્યાંના સ્થાનિક રહીશો રોગચાળો ફેલાયો હોવાની ફરિયાદ કરી રહ્યાં છે. જોકે આ અંગે મહિલાઓ દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે. પરંતુ નિંદ્રાધિન તંત્ર રજૂઆત ન સાંભળતું હોય તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.
મળતી માહિતી અનુસાર હળવદ શહેરના વોર્ડ નંબર-6માં આવેલા પ્રમુખ સ્વામીનગરના રહીશો પીવાના પાણીથી પરેશાન થઈ ગયા છે. કારણ કે, તેમને મળતુ પીવાનું પાણી પીવાલાયક નથી. પીવાના પાણીની લાઈનમાં આવતું પાણી ફીણવાળુ અને ગટરનું ગંદુ પાણી મળી રહ્યું છે. આ સમસ્યા એક-બે દિવસની નથી. પરંતુ છેલ્લા એક મહિનાથી આ લોકોને ફીણવાળુ અને ગટરનું પાણી પીવાની લાઈનમાં મળી રહ્યું છે. અને જેને કારણે ઘરોમાં રોગચાળો પણ ફેલાયો હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યાં છે. તો સાથે જ ગંદા પાણીને લઈને મહિલાઓ દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ નિંદ્રાધિન તંત્ર સાંભળતુ ન હોવાના મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. અને જવાબદાર તંત્રના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યાં હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાના આરોપ લગાવ્યા છે. જેથી વોર્ડ નંબર-6 પ્રમુખ સ્વામીનગરના રહીશોએ નગરપાલિકાને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. અને જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અમદાવાદ: દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીની વચ્ચે જ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 23 મે 2026 ના રોજ આગળ વધીને અરબી સમુદ્ર, કોમોરિન પ્રદેશ, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના મોટાભાગના વિસ્તારોને આવરી ચૂક્યું છે.
આગામી 3-4 દિવસમાં ચોમાસું વધુ આગળ વધવા...
સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે સમગ્ર ગુજરાતમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. કચ્છના માંડવીમાં આયોજિત ‘વૃંદાવન સેવા અમૃત મહોત્સવ’ દરમિયાન સ્વામીએ મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, “જો બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ...
જરાત સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણની બચત માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને ૧૧ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ, સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી કચેરીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.
પરિપત્રની મુખ્ય...