હળવદ: હળવદ તાલુકામાં દેશીદારૂના વેપલા સામે પોલીસનું નિયંત્રણ ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે હળવદ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં જોગડના ગ્રામજનો સાથે મહિલા સરપંચ સહિતના લોકોએ હાજર રહી આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જોગડ(રામેશ્વર)માં દેશીદારૂના અડ્ડાઓ મોટાપાયે ધમધમી રહ્યાં છે. અને બજારમાં દેશીદારૂના બુટલેગરો બેફામ વાણી વિલાસ કરી મહિલાઓને હેરાન પરેશાન કરી રહ્યાં છે. સાથે હપ્તાખોરી અને હુમલા કરવાના બનાવો પણ સામે આવી રહ્યાં છે. જેથી કરીને આવા તત્વો સામે કાયદાકીય પગલા લેવા આજે મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી, એસપી, હળવદ પોલીસ અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું છે કે, પોલીસ મથકે ઘણી રજૂઆત અને ફોન કરવા છતાં પણ ધ્યાને લીધેલ નથી. દારૂ પી તોફાન કરવા અને ગ્રામજનોને હેરાન કરવા સાથે સાર્વજનિક જગ્યા પર દારૂનું વેચાણ અને નુકસાન કરવું સહિતની પ્રવૃતિઓ બુટલેગરો દ્વારા કરવામાં આવે છે. જેથી કરીને આવા બુટલેગરો સામે કાયદાકીય પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. અને આ રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.
પોલીસને 13-7ના રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી એકપણ રેડ નહીં: પંચાયત સદસ્ય
હળવદ પોલીસને તારીખ 13-7ના રોજ લેટરપેડ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી એકપણ રેડ કરવામાં આવી નથી. પોલીસ પણ બુટલેગરોને સપોટ કરતી હોય તેવું અમને લાગી રહ્યું છે. એવો સણસણતો આરોપ રામેશ્વર ગામના પંચાયત સદસ્ય મનસુખ હરજીભાઈ મુલાડીયાએ લગાવ્યો હતો.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...